કુલગામઃ જમ્મૂ કાશ્મીરના કુલગામમાં રવિવારના સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું અને સતત પાંચ કલાકના ફાયરિંગ બાદ જવાનોએ ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં સફળતા મળી હતી. ત્યારે આંતકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન બાદ થયેલ વિસ્ફોટમાં પાંચ સ્થાનિક નાગરિકોના પણ મોત થયા જેને લઇને તણાવની સ્થિતિ પેદા થઇ ગઇ છે.
ગુપ્ત સુત્રો દ્વારા મળેલ માહિતા બાદ સેનાએ રવિવારે બપોરે કુલગામના લારૂ ગામમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જવાનોએ આતંકવાદીઓને ઘેરીને તેના પર ફાયરિંગ કર્યું અને આ હુમલામાં તેમણે ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા. ત્યારે આતંકવાદીઓના જવાબી ફાયરિંગમાં બે જવાન પણ ઇજાગ્રસ્ત થયા. ત્યાર બાદ એન્કાઉન્ટર સાઇટ પર એક વિસ્ફોટ થયો જેની ઝપેટમાં નાગરિકો પણ આવી ગયા અને પાંચના મોત થઇ ગયા.
પોલીસનું કહેવું છે કે ચેતવણી છતા લારૂ ગામના લોકો તે ઘરમાં ગયા જ્યાં આતંકવાદીઓએ શરણ લીધી હતી. કુલગામના એસએસપી હરમીત સિંહે જણાવ્યું કે અથડામણ દરમિયાન આ ઘરમાં આગ લાગી ગઇ હતી અને ચેતવણીને અગવણીને લોકો ઘરની અંદર ચાલ્યા ગયા. તેમના અનુસાર આતંકવાદીની પાસે હથિયાર અને વિસ્ફોટકનો જથ્થો હતો અને જ્યારે ગામ લોકો ત્યાં પહોંચ્યા તો વિસ્ફોટ થઇ ગયો અને લોકો તેની ઝપેટમાં આવી ગયા.