અમદાવાદ શહેર સહિત સુરત અને જેતપુરમાં અલગ અલગ ત્રણ ઘટનાઓમાં ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અમદાવાદના નહેરૂબ્રિજ પરથી સાબરમતી નદીમાં માતાએ બાળક સાથે પડતું મુક્યું હતું.
રાજ્યમાં આપઘાતની ત્રણ અલગ અલગ ઘટનામાં ચાર લોકોએ જીમ ગુમાવ્યો
જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી જીમ ટ્રેનર યુવકે આત્મહત્યા કરી
અમદાવાદ શહેર સહિત સુરત અને જેતપુરમાં અલગ અલગ ત્રણ ઘટનાઓમાં ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં અમદાવાદના નહેરૂબ્રિજ પરથી સાબરમતી નદીમાં માતાએ બાળક સાથે પડતું મુક્યું હતું. સુરતમાં રત્નકલાકારે આર્થિંક ભીંસના કારણે આપઘાત કર્યો છે. જેતપુરમાં વ્યાજખોરના ત્રાસથી જીમ ટ્રેનર યુવકે આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
અમદાવાદમાં માતાએ બાળક સાથે પડતું મુક્યું
અમદાવાદના નહેરૂ બ્રિજ પાસે સાબરમતી નદીમાં માતા-બાળકે પડતું મુક્યું હતું. શહેરના ખાનપુર નજીક આવેલ લેમન ટ્રી હોટેલની પાછળ બિનવારસી બેંગના આધારે તપાસ કરતા માતા અને બાળકનો મૃતદેહ નદીમાંથી મળ્યો હતો. ત્યારે મૃતક અમરાઈવાડીમાં ગુલાબનગરના રહેવાસી છે. જેમાં મહિલાનું નામ ભાનુમતિ વાઘેલા છે. જ્યારે સાડાચાર વર્ષના બાળકનું નામ પ્રિયાંશ વાઘેલા છે. માતાએ સાડા ચાર વર્ષના બાળક સાથે પડતું મુકતા બંનેના મોત નિપજ્યા હતા. આ અંગેના જાણ ફાયરની રેસ્ક્યું ટીમને કરતા ટીમે આવી પહોચી બંને મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે પોલીસને સોંપ્યા હતા. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી મોતનું કારણ જાણવા પ્રયત્નો શરૂ કર્યા છે.
આર્થિક ભીંસના કારણે આપઘાત કર્યો હોવાનું અનુમાન
સુરતમાં રત્નકલાકારો આર્થિંક ભીંસના કારણે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે રત્નકલાકાર વિબુલ જીંજાળાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. રત્નકલાકારે આપઘાત કરી લેતા ત્રણ બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. આ અંગે પુણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વ્યાજખોરોના ત્રાસથી જીમ ટ્રેનર યુવકે કરી આત્મહત્યા
જેતપુરનાં મોટા ચોક વિસ્તારમાં જીમ ટ્રેનર યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. ત્યારે યુવકે 5 થી 6 લોકો પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ ઘટનાની જાણ જેતપુર સીટી પોલીસને થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.