અમદાવાદમાં બેફામ સ્કૂલવાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ભારે ઝડપમાં વળાંક લેતા સ્કૂલવાનમાંથી 3 વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા હતા. ત્યારે આ સમગ્ર ઘટનામાં એક બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે ગંભીર ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ સ્કુલવાનમાં 20થી વધુ બાળકો ખીચોખીચ બેસાડ્યા હતા. જો કે, VTVના અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યું હતુ. સ્કૂલવાન ચાલકની બેદરકારી મુદ્દે તંત્ર એક્શનમાં આવ્યું હતુ. મહત્વનું છે કે, આ સમગ્ર મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે પંચામૃત સ્કૂલ ખાતે RTO અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા. અને તપાસ હાથ ધરી હતી.