લદ્દાખમાં એક્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ પર ભારત અને ચીની સેના વચ્ચે ચાલી રહેલા તનાવ દરમિયાન હિંસક અથડામણ થઈ હતી જેમાં એક ભારતીય સૈન્ય અધિકારી અને 2 સૈનિકો માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટના ગલવાન ખીણની છે જ્યાં 1962 ના યુદ્ધમાં પણ ચીને ભારત સાથે દગો કર્યો હતો.
1962 ના યુદ્ધમાં ગલવાન ખીણમાં ભારત-ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી
ચીનની આર્મી વારંવાર અહીં તંબુ બનાવે છે જેના લીધે થાય છે ઘર્ષણ
ચીન -ભારતની આ જમીન હંમેશાથી વિવાદમાં રહી છે
ગલવાન ખીણએ લદ્દાખનો પ્રદેશ છે. ગલવાન નદી પણ અહીં વહે છે. 1962 ના યુદ્ધમાં ગલવાન ખીણમાં ભારત-ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. વિવાદિત વિસ્તારોમાં તંબુ ગોઠવવા એ ચીનની આર્મી પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ની વ્યૂહરચનાનો ભાગ છેલ્લા ઘણા સમયથી છે. જ્યારે સૈન્યએ આ કરતા તેમને રોક્યા ત્યારે ભૂતકાળમાં પણ ઘર્ષણ થયો હતો.
આ ખીણમાં 58 વર્ષ પહેલા ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતુ. આજે બંને દેશો વચ્ચે તણાવનું વાતાવરણ છે. આ ખીણમાં ભારત-ચીન સરહદ પર નદી નજીક તંબુ ગોઠવવાને લઈને તીવ્ર તણાવની પરિસ્થિતિ ઉભી થઈ છે. ભારતીય અધિકારી અને 2 સૈનિકોનાં મોત બાદ સરહદ પર તણાવ વધુ વધી ગયો છે.
ગત દિવસોમાં બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો કરવા માટે ઉચ્ચ સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ હતી પરંતુ પરિણામ મળ્યું નથી.
ચીની મીડિયાએ ભારત પર ઘુસણખોરી અને ગેરકાયદેસર રીતે ચીનની સરહદની અંદર સંરક્ષણ સુવિધાઓ ઉભી કરવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સેનાએ કહ્યું છે કે ચીની સૈનિકો આ વિસ્તારમાં તંબુ ગોઠવીને અમને ઉશ્કેરવાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
આ અગાઉ 5-6 મેના રોજ લદાખના પેંગોંગ ત્સો તળાવ નજીક ચીની સૈનિકોનો ભારતીય સૈનિકો સાથે ઘર્ષણ થયો હતો.આ ઘટના બાદથી ભારત-ચીન સરહદે આવેલા વિસ્તારોમાં ચોક્સી અને સૈનિકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે જ્યાં વારંવાર બંને દેશોના સૈનિકોમાં વિવાદ થતો રહે છે.