ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. મેચ પહેલા ભારતીય ટીમે સામે ત્રણ પડકાર ઊભા થઈ ગયા છે.
7 જૂને રોજ લંડનમાં રમાશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ.
ફાઈનલ મેચ પહેલા ભારતીય ટીમે સામે ત્રણ પડકાર.
વિકેટકીપર અને ઓપનર તરીકે કોને મળશે તક?
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. 7 જૂનના રોજ લંડનના ધ ઓવલ મેદાનમાં આ મેચ રમવામાં આવશે. આ મેચમાં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ મુકાબલો રમાશે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનો દાવો મજબૂત કર્યો છે. ફાઈનલ મેચ પહેલા ભારતીય ટીમે સામે ત્રણ પડકાર ઊભા થઈ ગયા છે, જેના કારણે ભારે નુકસાન થઈ શકે છે.
રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે કઈ ત્રણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? આ સમસ્યા એટલી મોટી છે કે, જેના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં નુકસાન થઈ શકે છે.
ભારતીય ટીમની સૌથી મોટી મુશ્કેલી- વિકેટકીપર
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પહેલા ભારતીય ટીમ પાસે સૌથી મુશ્કેલી વિકેટકીપર છે. ઋષભ પંત ઈજાગ્રસ્ત થવાને કારણે બોર્ડ ગાવસ્કર સીરિઝમાં કે.એસ. ભરતને તક આપવામાં આવી છે. ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં ભરતે 20.20ની સરેરાશથી માત્ર 101 રન જ કર્યા છે. અમદાવાદ ટેસ્ટ મેચમાં તેમણે વિકેટકીપિંગમાં પણ ભૂલ કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં શું ભરતને તક આપવામાં આવશે? જેના જવાબમાં માત્ર ના જ છે, તો તેની જગ્યાએ કોને લેવામાં આવશે?
ભારતીય ટીમની સૌથી મોટી મુશ્કેલી- ઓપનર
ઓવલમાં રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમની બીજા નંબરની સૌથી મોટી મુશ્કેલી ઓપનર છે. ઓવલમાં ભારતીય ટીમમાં ઓપનર તરીકે કે. એલ. રાહુલને ઉતારવામાં આવશે કે શુભમન ગિલને ઉતારવામાં આવશે? કે. એલ. રાહુલે ઓસ્ટ્રેલિયા સામે ખરાબ પ્રદર્શન કર્યા બાદ તેમની જગ્યાએ શુભમન ગિલને તક આપવામાં આવી હતી. આ બેટ્સમેને અમદાવાદ ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. બીજી તરફ વર્ષ 2021માં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ ગઈ હતી, તે સમયે રાહુલે એક સદી અને અડધી સદીની મદદથી 315 રન કર્યા હતા. તો આ પરિસ્થિતિમાં રાહુલને બહાર રાખવો કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.
ભારતીય ટીમની સૌથી મોટી મુશ્કેલી- પ્લેઈંગ ઈલેવન
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ત્રીજી સૌથી મોટી મુશ્કેલી એ છે કે, રવિન્દ્ર જાડેજા અને અશ્વિનમાંથી કોને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવશે? આ ખેલાડીઓએ બોલિંગ અને બેટીંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં જાડેજાએ 22 અને અશ્વિને 25 વિકેટ લીધી છે. ઓવલની પરિસ્થિતિને જોતા આ બે ખેલાડીમાંથી કોઈ એક ખેલાડીને જ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવશે. આ બે ખેલાડીઓમાંથી કોને બહાર રાખવામાં આવશે. અગાઉ ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન અશ્વિનને એક પણ મેચ રમવા માટેની તક આપવામાં આવી નહોતી અને આ નિર્ણયની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી.