વડોદરામાં રામનવમીની શોભાયાત્રાની ઘટના બાદ પોલીસ કમિશ્નર દ્વારા ગત રોજ SIT ની રચના કરવામાં આવી હતી. ત્યારે આજે સાંજના સુમારે એકાએક પીઆઈની બદલીનાં ઓર્ડર કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશનર એક્શનમાં
શહેરના 3 પોલીસ સ્ટેશનના PI ની બદલીનાં આદેશ
રામનવમીના દિવસે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો પથ્થરમારો
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશ્નર એક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે પોલીસ કમિશ્નર દ્વારા શહેરના 3 પોલીસ સ્ટેશનના પીઆઈની બદલીનો આદેશ કર્યો છે. જેમાં સીટી પોલીસ મથકના પીઆઈ એસ.એમ.સગરની ટ્રાફિક વિભાગમાં બદલી કરાઈ છે. જ્યારે ગોરવાના પીઆઈ એચ.એમ. ધાંધલની સીટી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. તેમજ ટ્રાફિક પીઆઈ જે.એમ.મકવાણાને ગોરવા પોલીસ સ્ટેશનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ત્યારે રામનવમીનાં દિવસે સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પથ્થરમારો થયો હતો. પથ્થરમારા અને બબાલની ઘટનામાં SITની રચના
વડોદરામાં રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં થયેલ પથ્થરમારા અને બબાલ મામલે SIT ની રચના કરવામાં આવી છે. જેમાં વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહ દ્વારા DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે SITની રચના કરવામાં આવી છે. આ SIT ની ટીમમાં ACP ક્રાઇમ,ACP G ડિવિઝન અને ક્રાઇમ બ્રાંચના PIનો સમાવેશ તેમજ વડોદરા સિટી પોલીસ સ્ટેશનના PIનો સમાવેશ કરાયો. કોર્ટે 5 આરોપીઓનાં રિમાન્ડ મંજૂર કર્યા
ગત રોજ શોભાયાત્રામાં પથ્થરમારો કરનાં 23 આરોપીઓને પોલીસે કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે કોર્ટે 23 આરોપીઓ પૈકી 5 આરોપીઓનાં 2 એપ્રિલ રવિવાર સુધીનાં સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. શહેરમાં થયેલા તોફાન મામલે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે
વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે 18 આરોપીઓ દ્વારા આજે કોર્ટમાં જામીન અરજી મુકી હતી. ત્યારે કોર્ટે 18 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે. જામીન અરજી નામંજૂર થતા ફરી એક વખત તમામ લોકોને જેલ ભેગા કરાયા છે. ત્યારે શહેરમાં થયેલા તોફાન મામલે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.