પાલનપુરમાં આત્મહત્યા કેસમાં ખુલાસો આવ્યો છે કે, આત્મહત્યા કરનાર હોમકોરોનટાઇન દર્દી ન હતા . યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. મૃતક તારીખ 14 માર્ચથી 28 માર્ચ સુધી હોમ કોરેન્ટાઇનમાં હતા. મૃતકે 3 એપ્રિલે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા સાથે હોમ કોરોન્ટાઇનને કોઈ લેવાદેવા નથી તેવુ આરોગ્ય વિભાગે જણાવ્યું હતુ.
વેપારી યુવાન એવો તો હેબતાઈ ગયો કે વહાલુ કર્યુ મોત
પંજાબમાં પણ વૃદ્દ દંપતીને ચેપ લાગે એ પહેલા જ કરી લીધી આત્મહત્યા
યુવકને બે બાળકી અને 1 અઢી વર્ષનો દીકરો છે
શું થયો ખુલાસો?
પાલનપુરમાં આત્મહત્યા કેસમાં ખુલાસો આવ્યો છે કે, આત્મહત્યા કરનાર હોમકોરોનટાઇન દર્દી ન હતા . યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. મૃતક તારીખ 14 માર્ચથી 28 માર્ચ સુધી હોમ કોરેન્ટાઇનમાં હતા. મૃતકે 3 એપ્રિલે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા સાથે હોમ કોરોન્ટાઇનને કોઈ લેવાદેવા નથી તેવુ આરોગ્ય વિભાગે જણાવ્યું હતુ.
ગુજરાતમાં પાલનપુરમાં ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવેલ યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. વાત એવી છે કે, આ વેપારી ઘરે પરત આવ્યો હતો ત્યારે તેને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યો હતો જેનો ગાળો પુરો થયો હતો.
શું કહે છે પોલીસ
પોલીસના જણાવ્યાનુંસાર ગુજરાતના પાલનપુરનો રહેવાસી વિનોદે પોતાના જ ઘરના ઉપરના માળે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. તેના પરિવારમાં પત્ની બે દીકરીઓ અને એક દીકરો છે. દીકરો હજુ અઢીવર્ષનો જ છે.
ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો હતો
મોરબીમાં ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતો હતો. વિનોદ ચોરસિયા. તેનો પરિવાર પાલનપુર રહેતો હતો. 20મી માર્ચના વિનોદ પોતાના પરિવાર પાસે પાછો આવી ગયો હતો. ત્યારે તેને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો હતો.
અમૃતસરમાં પણ દંપત્તીનો કોરોનાના ડરથી આપઘાત
ગુજરાત સિવાય પંજાબના અમૃતસરમાં પણ એક વૃદ્ધ દંપત્તીએ કોરોનાથી ડરીને આપઘાત કરી લીધો હતો. અમૃતસરના સથિયાલા ગામમાં પોલીસને આ દંપત્તીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના મૃતદેહ પાસે સુસાઈટનોટ પણ મળી આવી હતી જેમાં લખ્યું હતુ કે બંને જણા કોરોનાના ડરથી આપઘાત કરી રહ્યા છે.