બનાસકાંઠા ધાનેરાના કુંડી ગામે 7 પૈકી 3 લોકોના ફૂડપોઈઝનિંગના કારણે થયા મોત, 10 દિવસની સારવાર બાદ 3 લોકોના મોત અને અન્ય 3ની હાલત ગંભીર થતા અમદાવાદ ખસેડાયા
ધાનેરાના કુંડી ગામે 7 લોકોને ફુડપોઇઝનની અસર
10 દિવસની સારવાર બાદ 3 લોકોના થયા મૃત્યુ
3 ની હાલત વધુ ગંભીર થતા અમદાવાદ ખસેડાયા
\બનાસકાંઠાના ધાનેરા તાલુકાના એક જ પરિવારના સાત લોકોને ફુડ પોઈઝનીંગની અસર થતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે તો ચાર લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામા આવ્યા છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીના મતે પરિવારજનોએ રાયડાનું તેલ આરોગ્ય બાદ એપિડેમિક ડ્રોપસીના કારણે મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાયડાનું તેલ કાઢતા સમયે સાથે દારૂડીના છોડ પણ પીલાઈ ગયા હોવાના કારણે તેલમાં પોઈઝનીંગ પેદા થતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કુંડી ગામે 10 દિવસ અગાઉ પુરોહિત પરિવારના 07 સભ્યોને એકસાથે ફૂડ પોઈઝનની અસર થઈ હતી. એક જ પરિવારના 07 સભ્યોને એક સાથે ફૂડ પોઈઝનની અસર થતાં તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. આરોગ્ય વિભાગે એક બેઠક બોલાવી ખેડૂતોમાં જાગૃતિ આવે તે માટે ખેતીવાડી વિભાગને ખેડૂતો સાથે બેઠકો યોજવા પણ આદેશ કર્યો છે.