હંમેશા 2 વ્યક્તિની વચ્ચે ખટરાગની માટે ખાસ કરીને રાશિ અને ગ્રહોની સ્થિતિ કામ કરે છે. તો જાણો કઈ રાશિના લોકોમાં રહે છે ખટરાગ.
કઈ રાશિના દંપતિમાં રહે છે ખટરાગ
3 રાશિના લોકોને રહે છે સંબંધોમાં મુશ્કેલી
રાશિ અને ગ્રહોની સંબંધો પર થાય છે મોટી અસર
જ્યારે પણ 2 લોકોની વચ્ચે બોલચાલની સ્થિતિ સર્જાય છે ત્યારે આનંદિત સંબંધ બનાવી રાખવાનું કામ મુશ્કેલ બને છે. કોઈ પણ સંબંધમાં નિશ્ચિત સંઘર્ષ કે તર્કની આવશ્યકતા રહે છે. જો કે ચીજો પણ નકારાત્મક થવા લાગી છે જ્યારે 2 લોકો વચ્ચે જરા પણ તાલમેલ બનતો નથી અને સાથે જ તેઓ એકમેકની સાથે ખટરાગ અનુભવે છે. જ્યોતિષમાં આ 3 રાશિના લોકોની વચ્ચે ખટરાગની સ્થિતિ રહેવાનું અનુમાન રખાયું છે.
મેષ અને કર્ક
કર્ક રાશિના લોકો એવા વ્યક્તિ છે જે unpredictability પસંદ કરતા નથી. તેઓ nurturers છે અને થોડા જૂના વિચારો રાખે છે. અન્ય તરફ મેષ રાશિના લોકો પણ ક્યારેક બોલ્ડ, સહજ અને બ્લંટ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ જોખમ લેવાનું પસંદ કરે છે. તેનાથી કર્ક રાશિના લોકોને ચિંતા રહે છે. કર્ક રાશિના લોકો સંવેદનશીલ હોય છે, જે વ્યક્તિગત રીતે ચીજો લે છે. જો મેષ રાશિના વ્યક્તિ સતત ચીજને નકારવાનું વલણ ધરાવે છે. જેનાથી તેમના સંબંધોમાં સતત ખેંચતાણ અને વિરોધ રહેતો જોવા મળે છે.
વૃષભ અને ધન
વૃષભ રાસિના લોકો સુરક્ષા અને સ્થિરતા ઈચ્છે છે, તેઓ સુરક્ષિત પરપોટો રહેવા ઈચ્છે છે ને તેને છોડવા ઈચ્છતા નથી. તે જીવનને પોતાના વ્યક્તિગત સ્થાને ખેચવામાં વિશ્વાસ રાખે છે. અન્ય તરફ ધન રાશિના લોકો વિપરિત માનસ ધરાવે છે. તેઓ સ્વતંત્ર અને ઉત્સાહી લોકો છે. જે અલગ અલગ સ્થાનોની યાત્રા પસંદ કરે છે. એક જગ્યાએ હંમેશા રહેવું તેમને પસંદ નથી. આ બે અલગ અલગ ગુણ આ 2 રાશિના લોકો વચ્ચે સંઘર્ષ કરે છે.
મીન અને કન્યા
મીન રાશિના લોકો સહાનુભૂતિશીલ લોકો છે જે અન્યના ઈરાદાને જાણવા ઈચ્છે છે અને કંઈ પણ છૂપાયેલું જોવા ઈચ્છતા નથી. આ માટે તે કન્યા રાશિના લોકોની દીવાલોને તોડવાનું અને સાથે તેમના વાસ્તવિક વ્યક્તિત્વને જાણવાનો પ્રયાસ કરશે. પરંતુ કન્યા રાશિના લોકો હંમેશા પોતાની ચારે તરફ એક સખત દિવાલ બનાવી રાખે છે જેથી કોઈ પણ તેમની સાચી ભાવનાઓને જાણી ન શકે, આ 2 રાશિની વચ્ચે ખટરાગની સ્થિતિ જન્મી શકે છે.