થોડા સમય પહેલા ખુદ મુખ્યમંત્રીએ કબુલ્યુ હતુ કે મહેસુલ ખાતામા ભ્રષ્ટાચાર છે. ત્યારે આ વાત સુરેન્દ્રનગરમાં સાબિત થઈ છે. સુરેન્દ્રનગર કલેક્ટરે પોતાના જ અધિકારીઓ વિરૂધ્ધ એસીબીમા સત્તાના દૂરુપયોગની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. એસીબીમાં ગેસ કેડરના અધિકારી ચંદ્રકાન્ત પંડ્યા સહિત ત્રણ અધિકારી અને જમીનનો ગેરકાયદે લાભ મેળવનાર શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.
સુરેન્દ્રનગર કલેક્ટર કનકપતિ રાજેશે એસીબીમાં પોતાના જ અધિકારીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પોતાના અધિકારીઓ દ્વારા સતાનો દુરુપયોગ કરી સરકારી જમીન હાઈકોર્ટના ચુકાદા અને સરકારના પરિપત્રનો ખોટા અર્થઘટન કરી ખાનગી ઠેરવી છે. જેની સરકારી જંત્રી પ્રમાણે કિમંત રૂ.3 23 03 556 થાય છે. ત્યારે હાલ સરકારે ત્રણેય સરકારી કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે તમામ અધિકારીઓના નિવાસસ્થાને સર્ચ પણ હાથ ધર્યુ છે.
ઉલ્લેખનયી છે કે રાજ્ય સરકારે સમગ્ર કૌભાંડમાં સંપડાયેલા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી કડક પગલાં લેવાના આદેશો પણ આપ્યા છે. તો સાથે જ રાજ્યની આ પ્રથમ ઘટના છે કે જેમા ખુદ આઈએએસ અધિકારી દ્વારા પોતાના જ અધિકારીઓ વિરૂધ્ધ એસીબીમા ફરિયાદ દાખલ કરાવી.