ઝારખંડના ગિરિડીહમાં સુરક્ષાબળના જવાનોએ 3 નક્સલીઓને ઠાર માર્યા છે. જો કે દુઃખદ બાબત એ છે કે, આ અથડામણમાં CRPFના એક જવાન પણ શહીદ થયા છે. આ અથડામણમાં ઠાર મરાયેલા નક્સલીઓ પાસેથી એક એકે 47 રાઈફલ, 3 મેગેઝિન અને ચાર પાઈપ બોમ્બ પણ કબજે કરવામાં આવ્યા છે.
ઝારખંડના ગિરિડીહમાં સુરક્ષાબળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. જેમાં સુરક્ષાબળના જવાનોએ ગિરિડીહમાં 3 નક્સલીઓને ઠાર માર્યા છે. જો કે દુઃખદ બાબત એ છે કે, આ અથડામણમાં CRPFના એક જવાન પણ શહીદ થયા છે. આ અથડામણમાં ઠાર મરાયેલા નક્સલીઓ પાસેથી એક એકે 47 રાઈફલ, 3 મેગેઝિન અને ચાર પાઈપ બોમ્બ પણ કબજે કરવામાં આવ્યા છે.
આ અથડામણ બાદ સુરક્ષાબળના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. ઉલ્લેખનીય છે કે, હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે નક્સલીઓ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે વિવિધ હુમલા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 9 એપ્રિલના રોજ છત્તીસગઢના દંતેવાડામાં પણ નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો અને તેમાં ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત નીપજ્યુ હતુ.
અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને પક્ષ વચ્ચે જિલ્લા બેલવા ઘાટ વિસ્તારના જંગલોમાં સવારે છ વાગ્યાની આસપાસ અથડામણ ત્યારે થઇ જ્યારે સીઆરપીએફની સાતમી બટાલિયનના જવાન અભિયાન ચલાવી રહ્યાં હતાં. આ જિલ્લો રાજધાની રાંચીથી અંદાજે 185 કિલોમીટર દૂર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં અથડામણના સ્થળ પર ત્રણ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યાં છે. ઝારખંડમાં સાત લોકસભા ચૂંટણીના તબક્કામાં ચોથા ચરણમાં મતદાન યોજાશે.