રાજસ્થાન કોંગ્રેસમાં ગરમાવો, ત્રણ મંત્રીઑ સોનિયા ગાંધીને સામેથી ચિઠ્ઠી લખી રાજીનામા ધર્યા છે, સંગઠનમાં કામ કરવાનું કારણ
રાજસ્થાન સરકારના 3 મંત્રીઓએ આપ્યા રાજીનામા
સોનિયા ગાંધીને પત્ર રાજીનામું આગળ ધર્યું
સંગઠનમાં મહત્વની જવાબદારી પર છે ત્રણેય મંત્રી
રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અજય માકને જણાવ્યું કે રઘુ શર્મા, હરીશ ચૌધરી અને ગોવિંદ સિંહ ડોટાસરા મંત્રી પદ પરથી રાજીનામું આપીને કોંગ્રેસ સંગઠનમાં કામ કરવા માંગે છે. આ માટે ત્રણેય મંત્રીઓએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે.
Three ministers of Rajasthan Cabinet -- Govind Singh Dotasra, Raghu Sharma & Harish Chaudhary -- have written to Congress president Sonia Gandhi, expressing their desire to step down from their posts & work in the party organization: Congress in-charge for Rajasthan, Ajay Maken pic.twitter.com/rXx75yCTgH
રાજસ્થાનના રાજકારણમાં ફરી એક વખત મોટી હલચલ જોવા મળી રહી છે. ગેહલોત સરકારના ત્રણ મંત્રીઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામું આપવાની ઓફર કરી છે અને કોંગ્રેસ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દિવાળી પહેલા કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનમાં ફેરબદલની તૈયારી કરી રહી હતી, પરંતુ બાદમાં નિર્ણય લેવામાં આવ્યો કે તેમાં સંપૂર્ણપણે ફેરફાર કરવામાં આવશે. આની સાથે ત્રણ મંત્રીઓના રાજીનામાને જોડવામાં આવી રહ્યા છે.
મંત્રી સિવાય અન્ય કઈ જવાબદારી સંભાળી રહ્યા છે નેતાઓ?
રધુ શર્મા ગુજરાત કોંગ્રેસ પ્રભારી પદે પણ છે યથાવત
હરીશ ચૌધરી પંજાબના પ્રભારી પદે છે યથાવત
ગોવિંદસિંહ ડોટાસરા પ્રદેશ અધ્યક્ષ છે
છેલ્લા ઘણા દિવસોથી રાજસ્થાન કોંગ્રેસમાં સચિન પાયલટ જૂથ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત જૂથ વચ્ચે ઝઘડાના સમાચાર છે. ઘણા દિવસોથી પાર્ટીના અધિકારીઓ સરકાર અને સંગઠન વચ્ચે સંતુલન જાળવવાની વાત કરી રહ્યા છે. પાર્ટીના કેટલાક નેતાઓ કહે છે કે તમામ જૂથોને ધ્યાનમાં લેવા જોઈએ. જેથી વિસ્તરણ પહેલા રાજીનામા આપી દીધા છે કે લેવાયા છે તે મોટો સવાલ છે.