ભાવનગરમાં ગંદા પાણીને શુદ્ધ કરવાના ફિલ્ટર પ્લાન્ટમાં વાલ્વ બંધ કરવા ગયેલા ત્રણ વ્યક્તિના ડૂબી જતાં મોત નીપજ્યાં છે.
ભાવનગરમાં ગંદા પાણીને શુધ્ધ કરવાના પ્લાન્ટમાં દુર્ધટના સર્જાઈ હતી. જેમાં ફિલ્ટર પ્લાન્ટમાં અકસ્માતે 3 કર્મીઓનાં મોત થયા હતા. મળતી માહિતી મુજબ ફિલ્ટર પ્લાન્ટનો વાલ્વ બંધ કરવા માટે ત્રણેય કર્મીઓ ગયા હતા. ત્યારે આ ઘટના બની હતી. આ ત્રણેયના ડૂબી જતાં મોત નિપજ્યાં છે.
મહત્વનું છે કે પાણી શુદ્ધ કરવાના પ્લાન્ટમાં ત્રણેયના મોત થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે મૃતકોના પરિજનોમાં અરેરાટી મચી જવા પામી છે.