દેશમાં ચાલી રહેલી બેંકની સ્થિને જોઈ લોકોમાં બેંક પરનો ભરોસો ડગમગ્યો છે. ત્યારે બેંક પર ભરોસો પાછો આવે તે માટે અને લોકોને પોતાની ડિપોઝિટની ચિંતામાં થોડી રાહત મળે તે માટે તેમણે બેંકની ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ગેરંટી વધારી છે. જાણો શું મળ્યું.
IDBI બેંકમાં સરકાર પોતાનો ભાગ શેરબજારના માધ્યમથી વેચશે
IDBI બેંકમાં સરકાર પોતાનો ભાગ શેરબજારના માધ્યમથી વેચશે
નિર્મલા સીતારમણે બજેટમાં 3 લાખ 50 હજાર કરોડ બેંકો માટે ફળવાયા છે. બેંકમાં જમા નાણા પર ગેરંટી 1 લાખથી વધારીને 5 લાખ કરાઈ છે. સરકારી બેંકોમાં ભરતીની પ્રક્રિયાઓમાં સુધારો કરવામાં આવશે. NBFCની જવાબદારી ઘટાડી 100 કરોડ કરાશે. પેન્શન રેગ્યુલેટરી બોડીને વધુ મજબૂત કરાશે. પેન્શન માટે ટ્રસ્ટ બનાવવામાં આવશે IDBI બેંકમાં સરકાર પોતાનો ભાગ શેરબજારના માધ્યમથી વેચશે. ટેક્સ પેયર ચાર્ટર માટે કાયદો બનાવાશે.
નાણા મંત્રીનું મોટુ એલાન કરવામાં આવ્યું હતું LICમાં પોતાની ભાગેદારી વેચશે. સરકારનાં નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે સરકાર LICમાં પોતાનો ભાગ વેચશે. નાણામંત્રીની આ જાહેરાતની સાથે વિપક્ષ તરફથી હોબાળો કરવામાં આવ્યો હતો. નાણામંત્રીએ કહ્યું કે 15માં નાણા આયોગે પોતાનો રિપાર્ટ આપી દીધો છે. જેને સરકારે સ્વીકારી લીધું છે. નાણામંત્રીએ કહ્યું કે 2020-21માં જીડીપીનો અંદાજ 10 ટકા છે. આ નાણાકીય વર્ષમાં ખર્ચનો અંદાજ 26 લાખ કરોડ રુપિયાનો છે.