અકસ્માતની ઘટનાઓએ અનેક પરિવારને વિખેરી નાખ્યા છે. ક્યાંક દીકરા તો ક્યાંક પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવે છે. બેદરકારીથી વાહન ચલાવવું અને પુરપાટ ઝડપથી વાહન ચલાવવું ગંભીર પરિણામ નોતરે છે. ત્યારે મંગળવારના અકસ્માતમાં પિતા-પુત્ર સહિત 3 લોકોના મોત થયા છે.
જૂનાગઢના ઝાલણસર પાસે 3 લોકોના મોત
એક્ટીવા અને ઈકો કાર વચ્ચે અકસ્માતમાં 3ના મોત
નદીના પુલ પર સર્જાયો અકસ્માત
જૂનાગઢના ઝાલણસર પાસે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. એક્ટીવા અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં પિતા પુત્ર સહિત 3 લોકોના મોત થયા છે. ઊંબેણ નદીના પુલ પર અકસ્માત થયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવીલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માત સર્જાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.