પુલવામામાં એન્કાઉન્ટર હજુ પણ યથાવત છે. અથડામણમાં બે જવાન અને એક લેફ્ટિનેન્ટ કર્નલ ઇજાગ્રસ્ત થયા છે. જણાવી દઇએ કે સવારે અથડામણમાં 4 જવાન શહીદ થયા હતા. જ્યારે પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ ગાઝી રાશિદને સેનાએ ઠાર માર્યો હતો.
ગાઝીના ખાતમા બાદ હવે સેનાનું મિશન-60
સોમવારે જ જૈશ એ મોહમ્મદના કમાન્ડર ગાઝી રાશિદ ઉર્ફ કામરાનને ઠાર માર્યા હતા પરંતુ હજુ પણ લાંબી લડાઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘાટીમાં જૈશના અંદાજિત 60 આતંકવાદીઓ એક્ટિવ છે.
ઉલ્લેખનીય છે કે પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલ આતંકવાદી હુમલાનો બદલો સેનાએ સોમવારે લીધો. જે આતંકવાદી કામરાન ઉર્ફ ગાઝી રાશિદને પુલવામા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. સોમવારે સેનાએ તેને એક અથડામણમાં ઠાર માર્યો હતો. પુલવામામાં અંદાજિત 11 કલાક સુધી ચાલેલ ઓપરેશનમાં સેનાને મોટી સફળતા મળી છે. કામરાન સહિત બે આતંકવાદીઓને ઠાર માર્યા છે.