મધ્યનેપાળમાં વાદળ ફાટવાની શંકાના કારણે આખો વિસ્તાર ટાપૂમાં ફેરવાઈ ગયો છે.
પાછલા 3 દિવસથી વરસાદના કારણે જિલ્લામાં પુર જેવી પરિસ્થિતિ
ગંડક નદીમાં 4 લાખ 12 હજાર ક્યૂસેક પાણી છોડ્યું
વાદળ ફાટવાના કારણે 26 લોકો ગુમ
ભારે વરસાદ બાદ નેપાળ દ્વારા મોટી માત્રામાં પાણી છોડવાના કારણે યુપી-બિહારના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. ઘણા જિલ્લાઓમાં પ્રસાશને રેડ એલર્ટ આપ્યું છે. યુપીના મહારાજગંજમાં પાછલા 3 દિવસથી વરસાદના કારણે જિલ્લામાં પુર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. તે વચ્ચે નેપાળે બુધવારે મોટી ગંડક નદીમાં 4 લાખ 12 હજાર ક્યૂસેક પાણી છોડ્યું છે. તેના કારણે બાલ્મિકીનગરમાં સિંચાઈ માટે ગંડક નદી પર બનાવવામાં આવેલા બેરેજના દરેક 36 ફાટક ખોલવા પડ્યા છે.
ગંડક નદી ઝડપથી ખતરાના નિશાનની તરફ વધી રહી છે. તેને જોઈને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. નેપાળથી નિકળીને રોહિન નદી પણ બુધવારે ખતરાનું નિશાન પાર કરી ચુકી છે. ચંદન નદી, પ્યાસ નદી અને પહાડી કેનાલો મહાવ પણ ખતરાના લેવલની ઉપર વહી રહ્યા છે.
Nepal: 3 Indians and 3 Chinese nationals, among 20 missing people, in Sindhupalchok flash floods, confirms the District Administration Office of Sindhupalchok. pic.twitter.com/oyZkIIOrNL
નેપાળમાં ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ બની છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવે છે. મધ્ય નેપાળમાં વાદળ ફાટવાની આશંકાના કારણે આખો વિસ્તાર ટાપૂમાં ફેરવાઈ ગયો છે. વિસ્કારમાં રહેનાર હજારો પરિવારો મુખ્ય બજાર ચોકથી અમુર મીટર દૂર પર સ્થિત એક સ્થાનીક સ્કૂલમાં શરણ લઈ રહ્યા છે. ત્યાં જ સિંધુપાલ ચોકમાં અચાનક આવેલા પુરમાં ઘણા લોકના વહી જવાની સંભાવના છે.
વાદળ ફાટવાના કારણે 26 લોકો ગુમ
સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ ભારતીય સહિત તેમાં 23 લોકો ગુમ થયા છે. તેમાં ચીની લોકો પણ સામેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મધ્ય નેપાળમાં ગયા ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. ગુરુવારની સવારે સિંધુપાલ ચોકમાં અચાનક વાદળ ફાટ્યુ હતું. જેમાં 26 લોકો લાપતા થયા છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.