ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે. કેપ્ટન કોહલી, અજીંક્ય રહાણે અને આવેશ ખાન ઇજાગ્રસ્ત થયા છે.
ભારતના 3 ખેલાડીઓ ઇજાગ્રસ્ત
વિરાટ કોહલી પણ ઇજાગ્રસ્ત
અજીંક્ય રહાણેને પગમાં ઇન્જરી
કોહલીની પીઠમાં તકલીફ થઇ છે તો રહાણેના ડાબા પગ પર હેમસ્ટ્રિંગમાં સોજો છે. જેના કારણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સિરીઝ પહેલા કાઉન્ટી સિલેક્ટ ઇલેવન માટે ન રમી શક્યા.
BCCIએ નિવેદન આપ્યુ છે કે ભારતના કેપ્ટન અને ઉપકપ્તાનને ઇજા થઇ છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે, વિરાટ કોહલીને સોમવારે સાંજે પીઠમાં ઇજા થઇ છે તેના કારણે તે આરામ પર છે. આ ત્રણેયને પ્રેક્ટિસ મૅચ ન રમવા માટેની સલાહ આપવામાં આવી છે. હાલમાં તે પ્રેક્ટિસ મૅચથી બહાર છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ આ ટેસ્ટ 4 ઓગસ્ટથી શરૂ થવાની છે.
પંત કોરોનાગ્રસ્ત
ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલા ભારતીય વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પંત થોડા દિવસો પહેલા જ યુરો કપમાં ઈંગ્લેન્ડ અને જર્મનીની વચ્ચેનો મુકાબલો જોવા માટે લંડનના વેમ્બલે સ્ટેડિયમ ગયા હતા. સ્ટેડિયમમાં પંત હજારો લોકોની વચ્ચે વગર માસ્ક પહેરે ફેન્સની સાથે તસ્વીર પણ પડાવતા જોવા મળી રહ્યા છે. પંતની આ ભૂલ તેને ભારે પડી છે અને તે કોરોના વાયરસનો શિકાર બન્યા છે. પંતને 18 જુલાઈ સુધી આઈસોલેશનમાં રાખવા માટે કહેવામાં આવ્યું છે. ત્યાર બાદ ફરી વખત તેમનો કોરોના ટેસ્ટ થશે. જો તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તો જ તે ડરહમમાં 20 જુલાઈએ થનાર ટેસ્ટમેચનો ભાગ બની શકશે.
જણાવી દઈએ કે બીસીસીઆઈ સચિવ જય શાહે બ્રિટનમાં હાજર ભારતીય ટીનમે હાલમાં જ ઈ-મેલ મેકલીને ત્યાના કોવિડ-19ના વધતા કેસને લઈને ચેતવ્યા છે. બીસીસીઆઈના એક સૂત્રોએ જણાવ્યું કે, "હા એક ખિલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ હાલ તેમનામાં કોઈ લક્ષણ જોવા નથી મળી રહ્યા. તે હાલમાં પોતાના એક સંબંધીને ત્યા તેના ધરમાં ક્વોરન્ટાઈન છે અને ગુરુવારે ટીમની સાથે ડરહમ નહીં જઈ શકે."