કચ્છઃ લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. ગઈકાલથી સતત પડી રહેલા અવિરત વરસાદને કારણે કચ્છના આડેસર રાપર ભચાઉ અંજાર અને આસપાસના 4 જેટલા તાલુકાઓમાં મેઘ મહેર થઈ છે. ગાંધીધામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવનને મોટી અસર થઈ છે. મહત્વનું છે કે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ ભારે વરસાદની આગાહી દર્શાવી છે.
અંતે પૂર્વ કચ્છ પર મેઘરાજા મન મૂકી થયા મહેરબાન થાય હતા. પૂર્વ કચ્છમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. કચ્છમા ગઈકાલ સાંજથી આજે સવાર સુધી પુર્વ કચ્છમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો હતો. કચ્છના આડેસર રાપર ભચાઉ અંજાર ગાંધીધામ અને કંડલા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં રાપર આડેસર અને ગાંધીધામના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઠેરઠેર શહેરમાં રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા.
અંજાર ગાંધીધામમાં સારો વરસાદ પડતાં ત્યાંના ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી તરફ ગરમીથી ત્રસ્ત વરસાદથી રાહ જોતા લોકોને રાહત મળી હતી. હજુ 2 દિવસ સુધી હવામાન વિભાગે કચ્છ સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે. ત્યારે લોકો ઇચ્છી રહ્યા છે કે કચ્છમાં પણ સારો વરસાદ વરસે. જો કે આખી રાત પડેલો વરસાદ વહેલી સવારે પણ યથાવત રહેતા ગાંધીધામ અને અંજારને તરબોળ કરી દીધાં છે. સવારના 6થી 10 વાગ્યા દરમિયાન અંજારમાં 72 મિ.મી. અને ગાંધીધામમાં 80 મિ.મી. વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ જિલ્લામાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે. વહેલી સવારથી જ ગાંધીધામમાં ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. હાલ ગાંધીધામમાં ત્રણ ઈંચ વરસાદ પડતા સ્થાનિકોમાં પણ આંનદની હેલી જોવા મળી રહી છે.