3 કૃષિ કાયદા રદ કરવાના બીલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે કૃષિ કાયદા પરત લેવા બિલ રજૂ કર્યુ હતુ.
3 કૃષિ કાયદા રદ કરવાના બિલને રાષ્ટ્રપતિની મંજૂરી
કૃષિમંત્રીએ સંસદમાં કૃષિ કાયદા પરત લેવા બિલ રજૂ કર્યુ હતું
બંને ગૃહમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી
કૃષિ કાયદા વાપસી બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની અંતિમ મહોર લગાવી દીધી છે. આની સાથે જ ત્રણેય કૃષિ કાયદા હવે સત્તાવાર રીતે રદ્દ થઇ ગયા છે. આ પહેલા શિયાળુ સત્રના પહેલા જ દિવસ એટલે 29 નવેમ્બરે સંસદના બન્ને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં ત્રણેય કૃષિ કાયદા વાપસી બિલ પસાર થઇ ગયા હતા. આ બિલોના વિરોધમાં એક વર્ષથી રાજધાની દિલ્હીની બોર્ડર પર ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
સોમવારે લોકસભામાં કૃષિ કાયદા વાપસી બિલને પાસ કરાવ્યા હતા, ત્યારબાદ રાજ્યસભાથી પસાર કરી લીધા. સંસદ સભ્યોએ ભારે હોબાળા વચ્ચે ઘ્વનિમતથી બિલ પાસ કરાવ્યું. બિલોની વાપસી પર વિપક્ષનું કહેવું હતું કે પાંચ રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં નુકસાનથી બચવા માટે સરકારે આ નિર્ણય ઉઠાવ્યો છે, જ્યારે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે પોતાના નિવેદનમાં કહ્યું કે, સરકાર કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોને સમજાવવામાં સફળ ન રહી એટલા માટે પીએમએ કાયદાને પરત લેવાનું મોટું મન બતાવ્યું.