ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ક્યારેક તો કોઇક દિવસ જ ગુજરાત માટે ગોજારો સાબિત થતો હોય છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.
પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત
રાજ્ય (Gujarat)માં આજે પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રકમાં સવાર 3 લોકોના મોત નિપજ્યાં છે. ટ્રક રાજસ્થાનથી પશુઓને લઈને અમદાવાદ તરફ આવી રહી હતી. જો કે, આ ઘટના ઘટતાની સાથે આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતાં. પોલીસનો કાફલો પણ ઘટનાની જાણ થતા તુરંત ઘટનાસ્થળે હાજર થઇ ગયો હતો. હાલમાં પાલનપુર તાલુકા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગઇકાલે GSRTC બસનો અકસ્માત સર્જાયો હતો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગઇકાલે પણ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગુજરાતની GSRTC બસનો અકસ્માત થયો હતો. GSRTC બસ મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત આવી રહી હતી. એ દરમ્યાન માલેગાંવ-સુરત બસનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાળકો સહિત 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
નવાપુરના ચરણમલ ઘાટ નજીક બસ પલટી જતાં 20 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. માલેગાંવ સુરત બસને ગઇકાલે નવાપુર તાલુકાના ચરણમલ ઘાટમાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં છ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસમાં કુલ 30 મુસાફરો સવાર હતા.
ચરણમાળ ઘાટના વળાંક પર બસની એક્સલ તુટી જતા બ્રેક ફેઈલ થઈ ગઇ હતી. બ્રેક ફેઈલ થવાના કારણે બસ ઘાટમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. કુલ 20 મહિલાઓ અને બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોનો સારવાર માટે નવાપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિક બોરઝર ગ્રામજનોએ ઈજાગ્રસ્તોને મદદ કરી હતી.
બીજી બાજુ ગઇ કાલે વડગામ તાલુકાના છાપી નજીક અધુરીયા પુલ નજીક શનિવારે મોડી રાત્રે ગેસના સિલિન્ડર ભરીને જતી બે ટ્રક અને અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે ઇસમોને ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર મેડિકલ હોસ્પિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જિલ્લાના પાંચ મિત્રો અંબાજી માતાજીની માનતા પૂર્ણ કરીને દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા. એ દરમિયાન પાલનપુર - મહેસાણા હાઇવે ઉપર આવેલ છાપી નજીક અધુરીયા પુલ પાસે ગેસના સિલિન્ડર ભરેલી બે ટ્રકોએ કારને ટક્કર મારતા કારના પાછળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.