ખાટુશ્યામજી મંદિરના માસિક મેળામાં એકઠી થયેલી ભીડને કારણે નાસભાગમાં ત્રણ યાત્રાળુઓના મોત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું
ખાટુશ્યામજી મંદિરમાં શ્રાવણના બીજા સોમવારે કરૂણ ઘટના
મંદિરના દરવાજા ખૂલતાં જ દર્શન માટે ધક્કામુક્કી થતાં નાસભાગ મચી
નાસભાગમાં ભીડમાં રહેલી ત્રણ મહિલા શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળે જ મોત
રાજસ્થાનના સીકર જિલ્લાના ખાટુશ્યામજી મંદિરથી આજે સવારે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આજે શ્રાવણના બીજા સોમવારે સવારે મંદિરના દરવાજા ખુલતાની સાથે જ ભક્તો શ્યામ બાબાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. દર્શન કરવાની ઉતાવળમાં મંદિરના ગેટ પાસે ધક્કામુક્કી થતાં નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે ભીડમાં રહેલી ત્રણ મહિલા શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા.
सीकर में खाटूश्याम जी के मंदिर में भगदड़ होने से 3 दर्शनार्थी महिलाओं की मृत्यु बेहद दुखद एवं दुर्भाग्यपूर्ण है। मेरी गहरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं, ईश्वर उन्हें यह आघात सहने की शक्ति प्रदान करें एवं दिवंगतों की आत्मा को शांति प्रदान करें।
આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, 'સીકરમાં ખાટુશ્યામ જીના મંદિરમાં નાસભાગને કારણે 3 મહિલાઓના મોત ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. મારી ઊંડી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે, ભગવાન તેમને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે અને મૃતકના આત્માને શાંતિ આપે. નાસભાગમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓ ઝડપથી સાજા થાય થઈ જાય.
Saddened by the loss of lives due to a stampede at the Khatu Shyamji Temple complex in Sikar, Rajasthan. My thoughts are with the bereaved families. I pray that those who are injured recover at the earliest.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાટુશ્યામજી અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે, ખાટુશ્યામજી મંદિર પરિસરમાં નાસભાગમાં લોકોના મોતથી દુઃખી છું. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.
દેશભરમાં લોકોની આસ્થાનું કેન્દ્ર ખાટુશ્યામજી મંદિર
ખાટુશ્યામજી મંદિર દેશભરમાં લોકોની આસ્થાનું કેન્દ્ર છે. જે રાજસ્થાનના સીકર જિલ્લાના ખાટુયશ્યામજી નગરમાં આવેલું છે. શ્યામ બાબાના દર્શન કરવા દેશભરમાંથી ભક્તો અહીં ઉમટી પડે છે. સોમવારે પણ માસિક મેળાને કારણે ભારે જનમેદની જોવા મળી હતી. જ્યાં આજે સવારે મંદિરના દરવાજા ખુલતાની સાથે જ ભક્તો શ્યામ બાબાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. દર્શન કરવાની ઉતાવળમાં મંદિરના ગેટ પાસે ધક્કામુક્કી થતાં નાસભાગ મચી ગયા બાદ ત્રણ મહિલા શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.
Rajasthan | Three people died, several injured at Khatu Shyamji Temple in Sikar where a stampede occurred during a monthly fair, earlier this morning. Two injured people referred to a hospital in Jaipur. Police present at the spot. Further details awaited. pic.twitter.com/bgnL9sRr1j
ખાટુશ્યામજી મંદિરે વાર્ષિક મેળામાં ચાર દિવસ દરમ્યાન લાખો ભક્તો અહીં ઉમટી પડે છે. જેના કારણે મંદીરમાં પગ મુકવાની જગ્યા રહેતી નથી. સાથે જ વધુ પડતા લોડને કારણે મોબાઈલ પણ જામ થઈ જાય છે. મેળામાં અહીં ભારે પોલીસ ફોર્સ અને આરએસી જવાનો તૈનાત છે. સામાન્ય દિવસોમાં પણ અહીંના મંદિરમાં પોલીસ ફોર્સ તૈનાત હોય છે, પરંતુ સોમવારે તેઓ પણ ભક્તોની ભીડ સામે લાચાર બની ગયા હતા.
ફરી એકવાર ભયનો માહોલ
સોમવારે મંદિરમાં થયેલા અકસ્માત બાદ ફરી એકવાર ભયનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ પોલીસ પ્રશાસને તુરંત તમામ વ્યવસ્થા સંભાળી લીધી હતી અને સવારે 9 વાગ્યા પછી ભક્તોને કતારમાં ઉભા રાખીને પાછા ફરવાનું શરૂ કર્યું હતું. અકસ્માત બાદ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આ દુર્ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો છે. પોલીસ અકસ્માતના કારણોની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.