મહેસાણામાં ગમખ્વાર અકસ્માતમાં 3 શિક્ષકોના મૃત્યુ થયુ છે. પાંચોટ તળાવમાં કાર ખાબકતા મહેસાણાથી નોકરીએ જઈ રહેલા 3 શિક્ષકો મૃત્યુને ભેટ્યા છે. કાર ચલાવતી વખતે શ્વાન વચ્ચે આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાળ તેમને ભરખી ગયો હતો. આ અકસ્માતમાં 1 મહિલા અને 2 પુરૂષના મૃત્યુ પામ્યા છે. આ શિક્ષકો રાધનપુર નજીક મોરવાડ જતા હતા.
મહેસાણા અકસ્માતમાં મૃતકના નામ
મિતાબેન પટેલ - મહેસાણા
વિપુલ ચૌધરી -બાસણા
આનંદ શ્રીમાળી - વિસનગર
ભરૂચ-જંબુસર રોડ પર અકસ્માત
ભરૂચ-જંબુસર રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. ઈકો કાર અને કન્ટેનર અથડાયા હતા. અકસ્માતમાં 7 વર્ષીય બાળકનું મૃત્યુ થયું છે. જેમાં 3 ઘાયલ છે. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.