નવી દિલ્હીઃ પશ્ચિમી જાપાનના ઓસાકા પ્રાંતમાં સોમવારે રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જણાવાઇ રહ્યું છે કે ભૂકંપથી ઘણુ નુકસાન થયું છે અને કેટલાક લોકોના ઇજાગ્રસ્ત થવાની પણ આશંકા છે.
સ્થાનિક સમાચાર પત્રના જણાવ્યા અનુસાર અત્યાતર સુધી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 200 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 9 વર્ષીય બાળકી અને 2 પુરૂષો છે.
મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર ઓસાકાનો ઉત્તર ભાગ રહ્યો અને આ 34.8 ડિગ્રી ઉત્તરી અક્ષાંશમાં અને 135.6 ડિગ્રી પૂર્વી દેશાંતરમાં દાખલ કરવામાં આવ્યો છે.
જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપના ઝટકા સ્થાનિક સમયાનુસાર સવારે 7.58 કલાકે અનુભવાયો હતો. જો કે સુનામીની ચેતવણી પણ રજૂ નથી કરવામાં આવી. જણાવાઇ રહ્યું છે કે જાપાનમાં આવેલ છેલ્લા કેટલાક સમયમાં ખતરનાખ ભૂકંપોમાંથી એક છે.
ઓસાક શિગા ક્યોતો અને નારામાં હાઇસ્પીડ બુલેટ ટ્રેન અને સ્થાનિક રેલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. પ્રશાસનનું કહેવું છે કે ભૂકંપથી વિસ્તારમાં 15મે થી કોઇ પરમાણુ રિએક્ટર પ્રભાવિત થયા નથી. ભૂકંપ બાદ ઓસાકામાં લગભગ 1 70 000 ઘરોમાં વીજ પુરવઠો ઠપ થયો છે.