બનાસકાંઠાના પાલનપુરમાં એક મકાનની દિવાલ ધરાશાયી થઇ છે. સેજલપુરા ગામમાં મકાનની દિવાલ પડતા 4 લોકો દટાયા હતા જેમાંથી 3ના મોત થયા છે.
બે બાળકો અને એક મહિલાનું મૃત્યુ
અન્ય એકને સારવાર માટે ખસેડાયો
વધુ લોકો દટાયાની આશંકાએ શોધખોળ
બનાસકાંઠાના પાલનપુરમાં દિવાલ ધરાશાયી થઈ હતી જેના કાટમાણમાં કેટલાક લોકો દટાયા છે. હાલ 4 લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા હતા જેમાંથી 3ના મોત થયાં છે જ્યારે અન્ય એકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
કાટમાળ નીચે દબાયેલા 3 લોકોના મૃત્યુ
દિવાલ ધરાશાયી થતા બે બાળકો અને એક મહિલાનું મૃત્યુ થયું છે. હજુ વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પાલનપુરના સેજલપુરામાં મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી.
પાલનપુરના સેજલપુરા ગામમાં દિવાલ ધરાશાયી થવાનો મામલો: કાટમાળ નીચે દબાયેલા 3 લોકોના મૃત્યું, મૃતાંકમાં બે બાળકો અને એક મહિલાનો સમાવેશ, અન્ય એકને સારવાર માટે ખસેડાયો#Palanpur#Gujarat