શિરડી સાંઈ સંસ્થા હાલમાં એક વિચિત્ર પ્રકારની મુંઝવણનો સામનો કરી રહ્યું છે. નોટબંધીના પાંચથી વધારે વર્ષ વિતી ચુક્યા છે. તેમ છતાં પણ દાનપેટીઓમાં જૂની નોટો આવવાનું ચાલુ જ છે.
ભક્તોએ સાંઈના દરબારમાં જૂની નોટો પધરાવી દીધી
દાનમાં આવેલી આ મોટી રકમથી સાંઈ સંસ્થા મુંઝવણમાં મુકાઈ
RBIએ આપ્યા છે મદદ કરવાના છે સંકેતો
શિરડી સાંઈ સંસ્થા હાલમાં એક વિચિત્ર પ્રકારની મુંઝવણનો સામનો કરી રહ્યું છે. નોટબંધીના પાંચથી વધારે વર્ષ વિતી ચુક્યા છે. તેમ છતાં પણ દાનપેટીઓમાં જૂની નોટો આવવાનું ચાલુ જ છે. સતત વધી રહેલી સંખ્યાના કારણે સાઈ સંસ્થાની મુશ્કેલીઓ વધવા લાગી છે. આપને જણાવી દઈએ કે, સાઈ સંસ્થાએ તેના માટે કેન્દ્રીય સ્તર પર કેટલીય વાર પ્રયત્નો કર્યા છે, પણ હજૂ સુધી તેનું કોઈ સમાધાન આવ્યુ નથી.
દેશમાં 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ 31 ડિલેમ્બર 2016 સુધી 500 અને 1000 રૂપિયાની નોટો બેંકમાં બદલવાનો ટાઈમ આપ્યો હતો. સાઈ સંસ્થાના જણાવ્યા અનુસાર તેમની પાસે જૂની 500 અને 1000ની લગભગ 3 કરોડ રૂપિયાની કિંમતની નોટો જમા થઈ ચુકી છે.
ખાસ વાત એ છે કે, જૂની નોટોને પોતાની પાસે રાખવી અને તેનો ઉપયોગ કરવો કાયદાકીય રીતે ગુનો બની ગયો છે. આ જ કારણ છે કે, સાઈ સંસ્થા સતત આ વાતની મૂંઝવણમાં છે અને વિચારે છે કે, આટલી નોટોનું કરવું શું.
દાનપેટીમાં જૂની નોટો નાખવાનું ચલણ વધ્યું
સંસ્થાના CEO ભાગ્યશ્રી બનાયતે જણાવ્યું છે કે, જો ભક્ત હુંડીઓમાં દાન નાખે છે, તેની ગણતરી અઠવાડીયામાં એક વાર કરવામાં આવે છે. જ્યારે નોટબંધી થઈ ત્યારથી અમારી ડોનેશન બોક્સમાં જૂની નોટો નાખવાનું ચલણ વધ્યું છે. આમ તો અમે નોટો જમા કરીને સાઈડમાં રાખીએ છીએ. તેને લઈને અમે સતત કેન્દ્રીય નાણામંત્રાલય, કેન્દ્રીય ગૃહમંત્રાલય અને RBI સાથે સતત સંપર્કમાં છે.
RBI મદદ માટે થઈ તૈયાર
ભાગ્યશ્રીએ જણાવ્યું છે કે, ગત અઠવાડીયએ ગૃહમંત્રાલયે અમને પોઝિટીવ રિસ્પોન્સ આપતા જણાવ્યું હતું કે, આ સંબંધમાં RBI અમારી મદદ કરશે. ત્યાર બાદ અમે RBI સાથે સતત સંપર્કમાં છીએ અને અમે આશા રાખીએ છીએ કે, ટૂંક સમયમાં અમને કોઈ ઉપાય બતાવશે. ભક્તોએ જે પણ શ્રદ્ધાથી આપ્યું છે, તે ઉપયોગમાં લેવાશે.
લોકોની ભલાઈ માટે ઉપયોગમાં લેવાશે આ રૂપિયા
ભાગ્યશ્રીએ જણાવ્યું છે કે, નોટબંધી બાદ એટલે કે, 31 ડિસેમ્બર 2016 સુધી દાન પેટીઓમાં દરરોજ ખોલવામાં આવતી અને દાનમાં ચડાવેલા રૂપિયાને બેંકોમાં જમા કરાવવામાં આવતા હતા. 31 ડિસેમ્બર બાદ બેંકોએ જૂની નોટો લેવાની ના પાડી દીધી. આ સંસ્થાના રૂપિયા છે અને તેને સામાન્ય લોકોની ભલાઈ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ત્યારે આવા સમયે અમે ઈચ્છીએ છીએ કે, તેનું સમાધાન જલ્દી થાય.