મુંબઇઃ મહારાષ્ટ્રના ઈગતપુરી રેલવે સ્ટેશન પર હાવડા મેલના 3 કોચ પાટા પરથી ઉતરી પડ્યા હતા. જો કે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હતી નહીં. તો ઘટનાના પગલે રેલવે પોલીસ અને પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા.
બાદમાં પાટાને રિપેર કરવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગઈ રાતના અઢી વાગે આ દુર્ઘટના સર્જાઈ હતી. રેલવે કંટ્રોલના જણાવ્યા મુજબ પાટાના રિપેરિંગની કામગીરી હાથ ધરી દેવાઈ છે.
હાવડા મેલના અડધા કોચને ઈગતપુરી લઈ જવામાં આવ્યા છે. જ્યારે અડધા કોટને કસારા લાવવામાં આવ્યા છે. જો કે આ ઘટનાના પગલે મુંબઈ રૂટ પર ચાલનારી ટ્રેનો લેટ પડી શકે છે.