કચ્છથી ગોઝારા સમાચાર સામે આવ્યા છે. નદીના પટમાં રમી રહેલા ત્રણ બાળકોના મોત સામે આવ્યા છે.
નદીના પટમાં રમી રહેલા 3 બાળકોના મોત
ભૂજના હુસેનીવાડ ધ્રોબા ગામનો બનાવ
નદીની માટી ધસી પડતા બાળકોના થયા મૃત્યુ
કચ્છના એક ગામમાં આગંણાની કિલકારીઓ સમીજતા રોકકળ શરૂ થઈ ગઈ છે. બાળકો રમવા ગયા અને બસ પછી પરત જ ન આવતા પરિવાર જનોના જીવ કશુક અમંગળ બન્યાની આશંકાથી ઉંચા થઈ ગયા હતા ત્યારે ત્રણ બાળકોના મોતના સમાચાર આવતા માતા-પિતાની હાલત કફોડી થઈ હતી.
નદીની માટી બાળકો પર ધસી પડતા બાળકોના મોત થયા છે. નદીની માટીમાં ઘર બનાવી અંદર બાળકો રમી રહ્યા હતા. ભુજ તાલુકાના હુસેનીવાડ ધ્રોબા ગામનો બનાવ છે. બાળકો ઘરે પરત ન ફરતા પરિવાજનો શોઘખોળ હાથ ધરી હતી ત્યારે આવા ગોઝારા સમાચાર સામે આવતા ગ્રામજનો હિબકે ચડ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે