ભાવનગરનાં પાલીતાણાનાં વીરપુર ગામે રૂદીયો કંપી ઉઠે તેવી ઘટનાં બની છે. તળાવમાં ન્હાવાં પડતાં 3 બાળકોનાં મોત નિપજ્યાં છે.આ ઘટનાની જાણ સ્થાનિકોને થતાં સ્થાનિકો ત્રણે બાળકોનાં મૃતદેહ બહાર કાઢયા હતાં. જે બાદ પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાં સ્થળે પહોંચી ગયાં હતાં. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ સગા ભાઈએ ન્હાવા માટે નદીમાં પડ્યાંને ત્રણેયનું મોત
એક સાથે 3 દિકરા ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ
સ્થાનિક તરવૈયાઓએ બાળકોને હચાવવાનો પ્રયાસ કર્યો હતો
સ્થાનિક તરવૈયાઓએ બાળકોને હચાવવાનો પ્રયાસ કર્યો હતો
પાલીતાણાનાં વીરપુર ગામે તળાવમાં ત્રણ બાળકો ન્હાવાં પડ્યા હતા. ત્યાં રહેલાં લોકોએ આ ત્રણેય બાળકોને ડૂબતાં જોતા બુમાબુમ કરી હતી. જેને પગલે ત્યાના સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે આવી તેમણે બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. કમનસીબે આ ત્રણેય બાળકોનું મોત નિપજ્યું હતું.
નદીમાં નહ્વા ગયેલાં 3 સગા ભાઈઓનું ડુબવાથી મોત
આ ઘટનાંને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ સૂત્રો દ્વારાં જાણવા મળ્યું હતું કે વીરપુર ગામમાં રહેતાં સુખાભાઇ ચૌહાણનાં આશરે 5થી 10 વર્ષનાં 3 પુત્રો ન્હાવાં માટે તળાવમાં પડ્યાં હતાં. એક પછી એક એમ ત્રણેય સગાં ભાઇઓ ડૂબવા લાગ્યાં હતાં. ઘટનાં સ્થળએ પહોંચેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ ત્રણેય બાળકોનાં મૃતદેહને પંચનામું કરી પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યાં હતાં. તહેવારમાં એક અચાનક એક દંપતીનાં 3 દિકરાનાં મોત થતાં પરિવાર પર આભ ફાટ્યું હતું. ઘટનાનાં પગલે ડેપ્યુટી કલેક્ટર કે.કે. સોલંકી, ઇન્ચાર્જ પીઆઇ ચુડાસમા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.