લકાતા નજીક ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘર પર આજે વહેલી સવારે ત્રણ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.
કોલકાતા નજીક ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘર પર આજે વહેલી સવારે ત્રણ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જેનાથી ઘરના લોખંડના દરવાજા પર જ અસર થઈ હતી પરંતુ કોઇને ઇજા પહોંચી ન હતી. ભાજપના વડા દિલીપ ઘોષે આક્ષેપ કરતાં કહ્યું કે હુમલાખોરો મોટાભાગે બંગાળની શાસક તૃણમૂલ કોંગ્રેસના છે.
એક વિડીયોમાં સાંસદના દરવાજા પર વિસ્ફોટકો દ્વારા છોડવામાં આવેલા નિશાન દર્શાવવામાં આવ્યા છે. જો કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને પોલીસ સ્થળ પર હાજર જ છે.
વારે 6.30 વાગ્યાની આસપાસ બની ઘટના
કોલકાતાથી 100 કિલોમીટર દૂર જગતદલ ખાતે ભાજપના સાંસદના ઘરે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, કથિત રીતે બાઇક પર આવેલા ત્રણ શખ્સો દ્વારા. આ ઘટના સવારે 6.30 વાગ્યાની આસપાસ બની હતી.
અર્જુનસિંહે પ્રતિક્રિયા આપી નથી
દિલ્હીમાં રહેલા સાંસદ અર્જુનસિંહે હજુ સુધી આ ઘટના અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે આજે પછી કોલકાતા પરત આવે તેવી ધારણા છે.
બંગાળના ગવર્નર જગદીપ ધનખરે બંગાળમાં આ ઘટનાને બિલકુલ અયોગ્ય હિંસા ગણાવી હતી તેમણે તેના વિશે પોસ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ બાબતે તેમની ચિંતા વ્યક્ત કરી હતી.
પશ્ચિમ બંગાળમાં હિંસા ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. સભ્ય સંસદ અર્જુન સિંહના નિવાસસ્થાનની બહાર આજે સવારે બોમ્બ વિસ્ફોટ કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતાજનક છે. બંગાળ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા દર્શાવતા તેમણે મમતા બેનર્જીને ટ્વિટમાં ટેગ કર્યા હતા.
Wanton violence in WB shows no sign of abating.
Bomb explosions as this morning outside residence of Member Parliament @ArjunsinghWB is worrisome on law and order.
Expect prompt action @WBPolice. As regards his security the issue has been earlier been flagged @MamataOfficial.
— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) September 8, 2021
અગાઉ તૃણમૂલના ધારાસભ્ય હતા
અર્જુન સિંહ, અગાઉ તૃણમૂલના ધારાસભ્ય હતા, તેમણે 2019 માં ભાજપ છોડી દીધું અને બેરેકપુર સંસદીય મતદારક્ષેત્રમાંથી સામાન્ય ચૂંટણીમાં જીત્યા હતા. તેઑ ભાટપરા - જગતદલ પટ્ટા પર પ્રભુત્વ ધરાવે છે જેણે બંગાળની ચૂંટણી પછી પણ તૃણમૂલ અને ભાજપ વચ્ચે છૂટાછવાયા ઝઘડા જોયા છે.
જો કે હવે તેમના ઘરની બહાર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.