ગુજરાતનાં મોટા શહેર અમદાવાદમાં કોરોના વાયરસ મહામારીએ ફરીવાર ચિંતા વધારી છે ત્યાં બીજી તરફ બે જ દિવસમાં ત્રણ મોટા નેતાઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે.
રાજ્યમાં બે દિવસમાં બે સાસંદ અને એક ધારાસભ્ય કોરોનાગ્રસ્ત
અત્યાર સુધીમાં ત્રણ મંત્રી સહિત 34 MLA થયા કોરોનાગ્ર્સ
8 સંસદસભ્ય અને બે પૂર્વ CM પણ કોરોના સંક્રમિત થયા
બે દિવસમાં બે સાસંદ અને એક ધારાસભ્ય કોરોનાગ્રસ્ત
દિવાળીના શુભ અવસરમાં પણ કોરોના મહામારી લોકોનો તહેવાર બગાડી રહી છે, ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસના વધતાં કેસને કારણે સરકારની ચિંતા માં વધારો થયો છે. સામાન્ય લોકોની સાથે સાથે ગુજરાતમાં કોરોનાકાળમાં કેટલાય નેતાપ વાયરસની ઝપેટમાં આવ્યા છે ત્યારે છેલ્લા બે જ દિવસમાં ત્રણ મોટા નેતાઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
નરહરિ અમીન યુ.એન.મહેતામાં છે દાખલ, એહમદ પટેલ મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
શનિવારે ગુજરાતથી રાજ્યસભાનાં બે સાંસદ નરહરિ અમીન અને અહેમત પટેલ કોરોના વાયરસ મહામારીથી સંક્રમિત થયા છે જ્યારે રવિવારે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ વાયરસની ઝપેટમાં આવી ગયા છે.
ભાજપના ત્રણ મંત્રી સહિત 19 નેતા કોરોનાગ્રસ્ત
નોંધનીય છે કે ગુજરાતનાં કુલ 45 મોટા નેતાઓ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચુક્યા છે. જેમાં ભાજપના 19 અને કોંગ્રેસ કોંગ્રેસના 15 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે તે પણ વાયરસની ઝપેટમાં આવ્યા હતા.
તહેવાર ટાણે કોરોનાનો થયો વિસ્ફોટ
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને દિવાળી બાદ હવે મુખ્યત્વે અમદાવાદમાં કોરોનાએ ચિંતામાં વધારો કર્યો છે. અમદાવાદમાં દિવાળી માં જાણે કોરોના વાયરસનો બોમ્બ ફૂટ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 518 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 170 દર્દીઓ ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તહેવારનાં ત્રણ જ દિવસમાં 433 દર્દીઓ દાખલ થયા છે.
અમદાવાદમાં વધતાં કોરોના વાયરસના કેસને જોતા આજે નાયબ મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી હતી જેમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને પગલે લોકડાઉન અંગે જણાવ્યું હતુ કે, લોકડાઉન નહીં થાય પણ જરૂર પડ્યે વ્યવસ્થા વધારીશું. એટલું જ નહીં પરંતુ તેમણે એ વાત પણ સ્વીકારી હતી કે, દિવાળીમાં બજારમાં લોકો બહાર નીકળતા સંક્રમણ વધ્યું છે. તહેવાર સમયે જરૂરી પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
શાળા કોલેજો અંગે પણ કહી મહત્વની વાત
કોરોના મહામારી વચ્ચે શાળાઓ અનલોક કરવા અંગે નીતિન પટેલે જણાવ્યું હતુ કે, શાળાઓ શરૂ થશે પરંતુ પહેલા 9થી 12 સુધી જ ક્લાસ ચાલુ કરવામામાં આવશે. અને સ્કૂલો ચાલુ થશે તો પણ તે ઓડ ઈવન સિસ્ટમ અનુસાર શાળામાં ભીડ ન થાય તેની તકેદારી રાખીને શરૂ કરવામાં આવશે.