જ્યારે સ્કીનની દેખરેખની વાત આવે છે તો નેચરલ ઈન્ગ્રેડિયન્ટ સૌથી સારી રીતે કામ કરે છે. તે એન્ટીસેપ્ટિક અને એન્ટીમાઈક્રોબયલ્સ ગુણથી ભરપૂર હોય છે અને સ્કીનની દેખરેખ કરી સમસ્યાઓ દૂર કરે છે.
ખીલની સમસ્યા ચપટીમાં થશે દૂર
સ્કીનની દેખરેખ માટે આ 3 આયુર્વેદિક ઉપાયો કરશે કમાલ
ઘરે જ કરી લો આ સરળ ઉપાયો
આજે અમે આપને એન્ટી સેપ્ટિક અને એન્ટી માઈક્રોબાયલ્સ ગુણોથી ભરપૂર કેટલાક આયુર્વેદિક ઉપાયો જણાવી રહ્યા છીએ. જેનાથી સ્કીનની સમસ્યાઓ સામે રાહત મેળવી શકાય છે. આ સિવાય તેની મદદથી તમે સ્કીન પરના ડાઘ પણ સરળતાથી દૂર કરી શકો છો.
લીમડો
લીમડાના પાનને થોડા સમયમાં જ ખીલથી રાહત મેળવવા માટે જાણીતા માનવામાં આવે છે. તે એન્ટી બેક્ટેરિલ પ્રોપર્ટીથી ભરપૂર હોય છે. જો તમે ઓઈલી સ્કીનના કારણે ખીલની સમસ્યા ધરાવો છો તો તે બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે. તેને પીસીને તેની પેસ્ટ બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. સૌ પહેલા 20-30 લીમડાના પાન લઈ તેને સાફ કરો અને અડધા લીટર પાણીમાં ઉકાળો. આ લીલા રંગનું લિક્વિડ ફેસ માસ્કની જેમ ઉપયોગ કરો. તમે જોશો કે તમારી સ્કીન પર તે કેવો કમાલ કરે છે.
હળદર
ચહેરા પરના ખીલને હટાવવા માટે હળદરને એક અસરકારક ચીજ માનવામાં આવે છે, આ એન્ટીસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીથી ભરપર હોય છે, જે શ્યામ ત્વચાને પણ નિખારે છે અને સાથે જ ખીલને હટાવવામાં મદદ કરે છે. તેનાથી ચહેરા પરના નિશાન પણ સાફ થાય છે.
મધ
મધ એક એન્ટીબેક્ટેરિયલ ઈનગ્રેડિઅન્ટ છે. તે સ્કીનને સાફ કરે છે અને ખીલને માટે અસરકારક રહે છે. તમે પિંપલ પર મધનો એક કોટ લગાવો અને 15 મિનિટ સુદી રહેવા દો. તેના નિયમિત રીતના ઉપયોગથી સ્કીન પર નિખાર આવે છે અને કરચલીઓ દેખાતી નથી. મધ ફેસના છિદ્રોને બંધ કર્યા વિના સ્કીનને મોઈશ્ચરાઈઝ કરે છે અને ઓઈલી સ્કીન પર પણ સારી રીતે કામ કરે છે.
તમે ફેસ પર અનેક ચીજો ટ્રાય કરી હશે જેમાં સાઈડ ઇફેક્ટ્સનો પણ સામનો કરવો પડે છે. તો એવામાં તમે આ ઉપાયો છોડીને આ ઘરેલૂ ઉપાયો અજમાવી લો. તેનાથી તમારી સ્કીન સારી રહેશે અને તમને ફાયદો થશે. આ સાથે કોઈ સાઈડ ઇફેક્ટનો ડર પણ રહેશે નહીં.