મણિપુરમાં સેનાના જવાનો પર ઉગ્રવાદીઓ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. જ્યારે અન્ય 6 જવાન ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે મોડી રાત્રે અંદાજે સવા એક વાગ્યાની આસપાસ પાટનગર ઇમ્ફાલથી અંદાજે 95 કિલોમીટરથી દૂર આવેલ ચંદલ જિલ્લામાં થઇ. આ પહાડી વિસ્તાર છે.
ચંદેલ જિલ્લામાં ઉગ્રવાદીઓએ કર્યો હુમલો
ત્રણ જવાન શહીદ, 6ની હાલત ગંભીર
ભારત-મ્યાંમાર સરહદ પર ઉગ્રવાદી જૂથ સામે ઓપરેશન દરમિયાન 4 અસમ રાયફલ્સના ત્રણ જવાન શહીદ થયા છે. જવાનો પર ઉગ્રવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં 6 જવાન ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત જવાનોને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાની સેનાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર મણિપુરના સ્થાનિક ઉગ્રવાદી સમૂહ પીપૂલ્સ લિબરેશન આર્મીએ આ હુમલો કર્યો છે. સેના તરફથી હાલમાં ઉગ્રવાદીઓને લઇને સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. આ સાથે જ ભારત-મ્યાંમાર સરહદ પર ચોકસાઇ વધારી દેવામાં આવે છે.
ગત વર્ષે નવેમ્બરમાં ચંદેલ જિલ્લામાં જ આસામ રાઇફલ્સના કેમ્પ પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. ઉગ્રવાદીઓના સૈન્ય કેમ્પમાં બોમ્બ ફેંક્યો હતો. ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી હતી.