ગત પાંચ વર્ષોમાં 7 સેક્ટરમાં કામ કરી રહેલા 3.64 કરોડ લોકોની નોકરી ચાલી ગઇ. હિન્દી સમાચાર પત્ર દૈનિક ભાસ્કરે પોતાની એક રિપોર્ટમાં આવો દાવો કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, અલગ-અલગ સેક્ટરોના એક્સપર્ટ્સ, ઇન્ડસ્ટ્રી બૉડી અને સરકારી રિપોર્ટ્સના માધ્યમથી જાણ્યું કે દેશભરમાં નોકરીઓની વર્તમાન સ્થિતિ શું છે.
ટેક્સટાઇલ સેક્ટરમાં પાંચ વર્ષોમાં 3.5 કરોડ લોકોની નોકરીઓ ચાલી ગઇ : રાહુલ મેહતા
દેશમાં બેરોજગારી દર 7.1 ટકાના ઉંચા સ્તરે પહોંચી ગયો છે
સરકાર બજેટમાં આર્થિક મંદીને દૂર કરવા અને નોકરીઓના સર્જનના પ્રયાસમાં
રિસર્ચમાં સામે આવ્યું છે કે, ગત પાંચ વર્ષોમાં માત્ર 7 સેક્ટરોની અંદર 3.64 કરોડ લોકોની નોકરીઓ ચાલી ગઇ. તેમા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગાર સામેલ છે. રિપોર્ટ મુજબ, સૌથી વધારે નોકરીઓ ટેક્સટાઇલ સેક્ટરમાં ચાલી ગઇ.
નોંધનીય છે કે, સરકાર બજેટમાં આર્થિક મંદીને દૂર કરવા અને નોકરીઓના સર્જનના પ્રયાસમાં લાગી છે. રિપોર્ટ મુજબ સરકારી કોશિશ અને જીડીપી ગ્રોથની આશા વચ્ચે આવતા પાંચ વર્ષોમાં 5.3 કરોડથી વધારે નવી નોકરીઓ આવવાની સંભાવના છે. જોકે, હાલમાં આવેલી એક રિપોર્ટ, જેમા બતાવાયું છે કે, દેશમાં બેરોજગારી દર 7.1 ટકાના ઉંચા સ્તરે પહોંચી ગયો છે, સરકારની ચિંતાઓ વધારી દીધી છે.
સમાચાર પત્રની આ રિપોર્ટ મુજબ ક્લોધિંગ મેન્યુફેક્ચરર્સ ઓફ ઇન્ડિયાના મુખ્ય સંરક્ષક રાહુલ મેહતાએ જણાવ્યું કે ટેક્સટાઇલ સેક્ટરમાં અલગ-અલગ કારણોથી ગત પાંચ વર્ષોમાં 3.5 કરોડ લોકોની નોકરીઓ ચાલી ગઇ છે.
જોકે તેઓએ કહ્યું કે, સ્થિતિમાં થોડો સુધારો થયો છે. આવનારા પાંચ વર્ષોમાં આટલો જ રોજગાર સર્જન થવાની આશા છે. આ વચ્ચે નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર બતાવે છે કે દેશમાં 'જોબ લોસ' જેવી કોઇ વાત નથી. ખરેખર તો નવી નોકરીઓના સર્જનની ઝડપ ધીમી પડી ગઇ છે. કેન્દ્ર સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધાર્યો છે.