જામનગરમાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદની એન્ટ્રી થઈ છે. વહેલી સવારથી જોડિયાના રણજીતપર જામસર ગામમાં વરસાદની શરૂઆત થઈ છે. રણજીતપર ગામમાં વહેલી સવારથી 3.5 ઈંચ જામસર ગામમાં 1 ઈંચ બાલંભા અને ધ્રોલ ગામમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. ફરી વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
અરબી સમુદ્રમાં ધીરે ધીરે આકાર પામી રહેલ સાયકલોનનો પ્રભાવ અત્યારથી જ શરૂ થઇ ગયો હોય તેમ રાજ્યના દરિયાઈ પટ્ટી પર આવેલ દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં વાતાવરણ પલટાયું છે. છેલ્લા બે દિવસથી બપોર બાદ એકએક બફારા અમુક સ્થળોએ જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હતો.
જો કે અમુક સ્થળો પર જોરદાર વરસાદ વરસતાં ખેતર બહાર પાણી નિકળી ગયા હતા. તો અમુક ગામડાઓમાં આગતરા કરવામાં આવેલ મગફળીના વાવેતર બાદ લણણીની પ્રક્રિયા પણ હાથ ધરાઈ ચુકી છે ત્યાં પાથરે પડેલ મગફળીનો પાક નિષ્ફળ જવાના સંજોગો નિર્માણ પામ્યા છે. મગફળીના પાકના હબ ગણાતા કલ્યાણપુર પંથકમાં જ્યાં વરસાદ છે અને મગફળી હજુ ઉભી છે ત્યાં આ વરસાદ મહેર સાબિત થયો છે.