ભચાઉ: કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.રીક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.2 નોંધાઈ છે. રાત્રે 10 અને 50 મિનિટે ભચાઉની ધરા ધ્રુજી છે. જેનુ કેન્દ્રબિંદુ દૂધઈથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે ગોઝારા ભૂકંપને દોઢ દાયકો વીત્યા બાદ પણ કચ્છની ધરા હજુ શાંત થઈ નથી અને સમયાંતરે હજુ ભૂકંપના આંચકા યથાવત્ છે.
કચ્છ અને ધરતીકંપને જૂનો નાતો છે.આ પહેલા અનેકવાર ધરતીકંપે કચ્છની ધરતીને ધ્રુજાવી છે.આ પહેલા 2001માં આવેલ ભયંકર ધરતીકંપે અનેક ઇમારતોને ભોંયભેગી કરી હતી.
તો કેટલાક લોકોના જીવ લઇને મોટી તારાજી સર્જી હતી એ ઘટનાને કચ્છ અને સમગ્ર ગુજરાતના લોકો ક્યારેય ભૂલી શક્યા નથી ત્યારે આજે ફરી એકવાર 3.2 ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો.
આપને જણાવી દઇએ કે ભચાઉમાં ગતમોડી રાતે અચાનક આંચકો અનુભવાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આંચકાને લીધે લોકો પોતાના ઘરમાંથી બહાર આવી ગયા હતા. જો કે તીવ્રતા વધારે પ્રમાણમાં નહીં હોવાને કારણે કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ નહોંતી.