સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પીએમ મોદીના હસ્તે 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ. ખીચોખીચ ભરાયું સરદાર પટેલ સ્ટેડિયમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ગુજરાત માટે ગૌરવશાળી ઘટના
હિન્દુસ્તાન ન રુકનેવાલા હૈ, ન થકનેવાલા હૈ : PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દુનિયા ભારતને મોટી શક્તિ તરીકે જોઈ રહી છે. યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓએ જોઈ લીધી તીરંગાની શક્તિ. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આતો માત્ર શરૂઆત છે. હિન્દુસ્તાન ન રુકનેવાલા હૈ, ન થકનેવાલા હૈ. સાથે યુવાનોએ પાનો ચડાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે-મને મારા દેશના યુવાઓની તપસ્યા, સ્વપ્ન અને સમર્પણ પર ભરોસો છે.
મેં ખેલમહાકુંભનું વાવેલું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવતા ખેલાડીઓને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, મારી સામે આજે યુવાનોના જોશનો સાગર છે. મેં બીજ વાવ્યું હતું એ આજે વટ વૃક્ષ બન્યું છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે છેલ્લા 2 વર્ષથી ખેલમહાકુંભનું આયોજન થઈ ન શક્યું. પરંતુ ચાલુ વર્ષે થયેલા આયોજને લીધે યુવાઓમાં નવો જુસ્સો જોવા મળ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ખેલમહાકુંભના કારણે ગુજરાતના ખેલાડીઓનો આજે દુનિયામં ડંકો વાગ્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 12, 2022
ગુજરાત ખેલ-કુદ નીતિ-2022નું PM મોદીએ કર્યું અનાવરણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ-2022ના વિધિવત રીતે પ્રારંભ કરાવતાની સાથે જ ગુજરાત ખેલ-કુદ નીતિ-2022નું પણ અનાવરણ કર્યું હતું. આ ખેલકૂદ નીતિ 2027 સુધી લાગૂ રહેશે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આપણા સૌ માટે ગૌરવપ્રદ ઘટના
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આઝાદીના અમૃત પર્વે ખેલ મહાકુંભનો 11મો પડાવ છે. સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતી એટલે દાળભાળ અને રોટલીનું મ્હેણું ભાંગવા માટે શરૂ કરાયેલા ખેલમહાકુંભ આપણો પોતીકો ઉત્સવ બની ગયો છે. જે ખેલાડીઓના અંતરમાં પડેલી ભાવનાને ઉજાગર કરવાનું કામ ખેલ મહાકુંભ કરી રહ્યો છે. તો આજે ગુજરાતના 2 દિવસીય મહેમાન બનેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આભાર માન્યો હતો.
હર્ષ સંઘવીનું નિવેદન:
રાજ્યના ગૃહરાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શાબ્દિક સ્વાગત કરતા 7 વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહેલ મેં દેશ નહીં ઝુકને દુંગાને યાદ કરી હતી, સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 55 લાખ રમતવીરોએ ભાગ લીધો છે. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતનાં યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીનો આભાર માનું છું
ખેલમહાકુંભ: અમદાવાદમાં PM મોદીની ઝલક જોવા રસ્તા પર ઉતર્યા લોકો, મોદી-મોદીના લગાવ્યા નારા
6:25 PM
રસ્તા પર ઉભેલા લોકોએ લગાવ્યા મોદી-મોદીના નારા
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ જવા રવાના થયેલા પ્રધાનમંત્રીના કાફલાને જોતા જ સ્થાનિકોએ પુષ્પવર્ષા કરી હતા તો મોદી-મોદીના નારા પણ લગાવ્યા હતા. નાગરિકોનો ઉત્સાહ જોઈ પ્રધાનમંત્રીએ અભિવાદન ઝીલ્યું હતું
6:15 PM
સરદાર પટેલ સ્ટેડિયમમાં એક તરફ કલાકારોની જમાવટ ચાલી રહી ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકો સાથે માણી ફુટબોલની મજા, VIDEO વાયરલ
6:10 PM
ગાંધીનગર રાજભવન ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ જવા રવાના, રસ્તા પર ઉમટ્યા મોટી સંખ્યામાં લોકો
5:40 PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખેલમહાકુંભનો પ્રારંભ થવાનો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાફલા સાથે સરદાર પટેલ સ્ટેડિયમ જવા રવાના થયાં હતા.
4 રાજ્યમાં ભાજપનો ભવ્ય વિજય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે ત્યારે આજે તેઓએ રક્ષાશક્તિ યુનિવર્સિટીના પદવિદાન કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ હવે અમદાવાદમાં એક રોડ શો યોજવાના છે.
અગિયારમાં ખેલ મહાકુંભનો થશે પ્રારંભ
ખેલમહાકુંભ 2022નો પીએમ મોદીના હસ્તે પ્રારંભ થવા જઇ રહ્યો છે જે માટે અત્યાર સુધીમાં 55,22,727 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં
31,75,293 પુરુષ અને 23,47,464 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. કુલ 3381 ટીમોનું ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન થયુ છે જેમાં 4 લાખ પુરુષ ટીમો અને 79 હજાર મહિલા ટીમો છે. ઓલિમ્પિકમાં રમાતી રમતોનું પ્રધાન્ય વધે તે માટે સરકાર દ્વારા ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
33 જિલ્લાની ટીમ રમતગમતનું પ્રદર્શન કરશે
સરદાર પટેલ સ્ટેડિમ ખાતે 33 જિલ્લામાંથી આવેલી વિવિધ ટીમો પીએમ મોદી સામે પ્રદર્શન કરશે. મલખમ, સ્કેટીંગ, પિરામિડ સહિત રમતોનું PM મોદી સામે ખેલાડીઓ પ્રદર્શન કરશે. આ ઉપરાંત રાજ્યની નવી ખેલ પોલિસીઓની પણ પીએમ મોદી જાહેરાત કરશે.
ખેલ મહાકુંભનો હેતુ શું છે?
રમત-ગમત ક્ષેત્રે વિશિસ્ટ કૌશલ્ય ખિલવવાના હેતુ સાથે ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવામાં આવે છે. વધુમાં ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પુરી પાડીને તેની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે. ચંદ્રકો જીતી શકે તેવી ક્ષમતા ધરાવતા રમતવીરોને જુદી જુદી ઔપચારિક તેમજ અનૌપચારિક સ્પર્ધાઓ શોધી કાઢવામાં આવે છે અને તેમને વિવિધ પ્રકારનું સધન પ્રશિક્ષણ આપવામાં આવે છે.વ્યૂહ રચનામાં આ ઉદ્દેશો સિધ્ધ થાય તે માટેની વિવિધ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. જેનાથી તેની કામગીરીલક્ષી ઉદ્દેશો પણ આપોઆપ નકકી થાય છે. જો કે એસ.એ.જી. ખાસ કરીને તો રમતગમતને લગતી સરકારની યોજનાઓનો અમલ કરે છે. આ યોજનાઓ સરકારના અંદાજપત્રમાં સમાવિષ્ટ. હોય છે જે અગાઉ યુવક સેવા આયુકતની કચેરી રાજય ખેલકુદ પરિષદના પરામર્શ સાથે ચલાવવામાં આવતી હતી. એસ.એ.જી.ની સ્થાપના થયા બાદ તેમાં કેટલીક નવી રમતગમતો ઉમેરવામાં આવી છે.
રંગારંગ કાર્યક્રમો લાઇવ નિહાળી શકાશે
સરદાર પટેલ સ્ટેડિયમમાં પીએમ મોદીના આગમનને પગલે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સ્ટેડિયમમાં લાઇટિંગ અને સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે કાર્યક્રમ શરૂ થશે ત્યારે સમગ્ર સ્ટેડિયમ લાઇટોથી ઝળહળી ઉઠશે. આ સાથે જ રંગારંગ કાર્યક્રમો, ખેલાડીઓ સાથે વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. જેમાં 1100 કલાકાર પર્ફોમન્સ કરવાના છે. સ્ટેડિયમમાં 50 હજારથી વધારે લોકો હાજર રહેશે. જ્યારે પાંચ લાખ લોકો ઓનલાઇન આ કાર્યક્રમ નિહાળશે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને હર્ષ સંઘવી પણ કાર્યક્રમમા હાજર રહેશે. આ સમયે સુરક્ષામાં ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેલ મહાકુંભના કાર્યક્રમને લઈ સ્ટેડિયમથી એરપોર્ટ સુધી અભેદ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 3697 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા છે. સરદાર પટેલ સ્ટેડિયમ પર 1 આઇજી, 5 ડીસીપી, 9 એસીપી, 35 પીઆઇ, 157 પીએસઆઇ, 615 પોલીસકર્મીઓ મળી કુલ 822 પોલીસકર્મીઓ તૈનાત છે. જ્યારે એરપોર્ટથી સ્ટેડિયમ સુધી એક-એક આઇજી, આઠ ડીસીપી, 14 એસીપી, 41 પીઆઇ, 110 પીએસઆઇ અને પોલીસકર્મીઓ હાજર છે.