પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો 2જો દિવસ, રક્ષાશક્તિ યુનિ સુધી ભવ્ય રોડ-શો, મહાસંબોધન બાદ નવા સંકુલનું લોકાર્પણ અને ખેલમહાકુંભનું કરશે ઉદ્ઘાટન
ભાજપનું ગુજરાત મિશન - 2022
પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે
રક્ષાશક્તિ યુનિ સુધી ભવ્ય રોડ-શો, મહાસંબોધન
નવા સંકુલનું લોકાર્પણ અને ખેલમહાકુંભનું ઉદ્ઘાટન
ભાજપના ગુજરાત મિશન - 2022 અંતર્ગત પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રમાણે પ્રધાનમંત્રી મોદીનો આજે 12 માર્ચનો કાર્યક્રમ જોઇએ તો સવારે 10 વાગ્યે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સીટી જવા રવાના થશે. ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. સવારે 11 વાગે રક્ષાશક્તિ યુનિવર્સીટી પહોંચશે અને ત્યારબાદ સવારે 11.15 વાગે રક્ષાશક્તિ યુનિવર્સીટીના નવા સંકુલનુ લોકાર્પણ કરશે. આ સાથે પદવીદાન સમારોહમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આ પછી તેઓ બપોરે 1 વાગે રાજભવન પહોંચશે. જયાં તેઓ સાંજ 6 વાગ્યા સુધી રોકાણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી સાંજે 6 વાગે સરદાર પટેલ સ્ટેડિયમ જવા રવાના થશે અને સાંજે 7 કલાકે SP સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2022ને ખુલ્લો મુકશે. આ સાથે તેઓ હજારોની જનમેદનીને સંબોધન કરશે. ત્યારબાદ રાત્રે 8 વાગે સ્ટેડિયમથી એરપોર્ટ રવાના થશે. રાત્રીના 8.30 વાગે અમદાવાદથી દિલ્લી રવાના થશે.
12 માર્ચે માટેનું જાહેરનામું
હુકમ : અમદાવાદ શહેરમાં તા.૧૨/૩/૨૦૧૨ ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ, નવરંગપુરા ખાતે “ખેલ મહાકુંભ-૨૦૨૨” નો કાર્યક્રમ યોજાનાર છે. જે કાર્યક્રમ દરમિયાન નીચે જણાવેલ માર્ગ/વિસ્તાર પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત ડાયવર્ઝન કરવામાં આવે છે. વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત
કયા રુટ બંધ રહેશે?
સરદાર પટેલ બાવલા સર્કલ થી સ્ટેડીયમ છ રસ્તા તથા ઇન્કમટેક્ષ ચાર રસ્તા થી સ્વસ્તીક ચાર રસ્તા તથા લખુડી સર્કલ થી રેડીમ છ રસ્તા તથા કોમર્સ સર્કલ થી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે
વૈકલ્પિક માર્ગની વિગત
ઉસ્માનપુરા ચાર રસ્તા થઈ ઇન્કમટેક્ષ ઓવરબ્રિજ થઈ બુદ્ધાસિંગ ચાર રસ્તા થઈ મિઠાખળી સર્કલ થા ગીરીશ કોલ્ડીક્સ ચાર રસ્તા થઇ સ્વસ્તીક ચાર રસ્તા સુધીના માર્ગનો અવર જવર માટે ઉપયોગ કરી શકાશે.
રિવરફ્રન્ટ પશ્ચિમ માર્ગ
લખુડી સર્કલ થઈ દર્પણ સર્કલ થઈ વિજય ચાર રસ્તા થઈ દાદાસાહેબ પગલા થઈ કોમર્સ સર્કલ સુધીના માર્ગનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે,
આશ્રમ રોડ – રિવરફન્ટ પુર્વનો માર્ગ :
વાડજ સ્મશાન ગૃહ કટ થી પશ્ચિમના રીવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ નીચે રોડ થઇ પાલડી ચાર રસ્તા થઇ અંજલી ચાર રસ્તા સુધીનો રીવર રોડ વાહનોની અવર થઈ અવર જવર કરી શકાશે તથા પુર્વના રીવરફ્રન્ટરોડનો ઉપયોગ કરી શકાશે
જાહેરનામાની અમલવારીની તારીખ અને સમય :
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ ની ગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૧૨/૩/૨૦૨૨ ના કલાક ૧૪:૦૦ થી કાર્યક્રમ પુર્ણ ન થાય ત્યાં સુધી જરૂરીયાત મુજબ પોલીસ દ્વારા અમલવારી કરાવવામાં આવે ત્યાં સુધી કરવાનો રહેશે.
અપવાદ : સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘંન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
12 માર્ચનો સમગ્ર કાર્યક્રમ
સવારે 10 વાગ્યે
રક્ષાશક્તિ યુનિવર્સિટી જવા રવાના થશે
રોડ શોનો રૂટ
ગાંધીનગરથી દહેગામ સુધી PM મોદીનો રોડ શો
રાજભવનથી સેકટર 30 સર્કલ પહોંચશે રોડ શો
સેક્ટર 30 સર્કલથી મોટા ચિલોડા પહોંચશે રોડ શો
મોટા ચિલોડાથી દહેગામ પહોચશે રોડ શો
સવારે 11 વાગ્યે
રક્ષાશક્તિ યુનિવર્સિટી પહોંચશે PM મોદી
સવારે 11:15 વાગ્યે
રક્ષાશક્તિ યુનિ.ના નવા સંકુલનુ લોકાર્પણ કરશે PM
પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે PM
બપોરે 1 વાગે
પ્રધાનમંત્રી મોદી રાજભવન પહોંચશે
સાંજ 6 વાગ્યા સુધી
રાજભવન રહેશે પ્રધાનમંત્રી
સાંજે 6 વાગ્યા પછી
સરદાર પટેલ સ્ટેડિયમ જવા રવાના થશે પ્રધાનમંત્રી
સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભ ઉદ્ઘાટન સમારોહ