સાબરમતી શુદ્ધિકરણ માટે 3 વર્ષમાં 282.17 કરોડનો ખર્ચ થયો
આમ છતાં સાબરમતીમાં ઠલવાઈ રહ્યું છે પ્રદૂષિત પાણી
રાજ્યસભામાં ચોસામા સત્રના પ્રથમ દિવસે જ સાબરમતી શુદ્ધિકરણનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્ર સરકારે ચોંકાવનારો જવાબ આપ્યો છે. કેન્દ્ર સરકારે નદીના શુદ્ધિકરણનો જવાબ આપતા કહ્યું કે, છેલ્લા 3 વર્ષમાં નદીના શુદ્ધિકરણ માટે રૂપિયા 282.17 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે. આમ છતાં હજુ પણ ઔદ્યોગિક એકમોનું કેમિકલ યુક્ત ઝેરી પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે. જેને કારણે સાબરમતી શુદ્ધ થઇ શકી નથી.
સાબરમતી નદીના શુદ્ધિકરણની વાતો પોકળ સાબિત
અમદાવાદની સાબરમતી નદીના શુદ્ધિકરણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ રાજ્યસભામાં ચોમાસા સત્રના પ્રથમ દિવસે જ સાબરમતી શુદ્ધિકરણનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્ર સરકારે નદીના શુદ્ધિકરણનો જવાબ આપતા કહ્યું કે, છેલ્લા 3 વર્ષમાં નદીના શુદ્ધિકરણમાટે રૂપિયા 282.17 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે. જોકે આટલા બધા રૂપિયા ખર્ચવા છતાં હજુ પણ ઔદ્યોગિક એકમોનું કેમિકલ યુક્ત ઝેરી પાણી નદીમાં ઠલવાઈ રહ્યું હોય હજી સુધી નદી શુદ્ધ નથી થતી.
282 કરોડના ખર્ચ બાદ પણ સાબરમતી નદી પ્રદૂષિત
સાબરમતી નદીના શુદ્ધિકરણ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ નદી પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. નદીમાં હજુ પણ કેમિકલયુક્ત ઝેરી પાણી ઠલવાઈ રહ્યું છે. નોંધનીય છે કે, 3 વર્ષમાં વિવિધ પ્રોજેક્ટ મારફતે 282.17 કરોડનો ખર્ચ થયો છે. આમ છતાં સાબરમતી નદી શુદ્ધ નહીં થતાં અનેક સવાલો ઊભા થયા છે. આ તરફ ઔદ્યોગિક એકમોનું કેમિકલયુક્ત ઝેરી પાણી નદીમાં ઠલવાઈ રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે.
સળગતા સવાલ
282 કરોડ ખર્ચવા છતાં સાબરમતી કેમ શુદ્ધ નથી થઈ ?
AMC ઔદ્યોગિક એકમો પર કાર્યવાહી કેમ નથી કરતું ?
શું ઔદ્યોગિક એકમો AMCને ગણકારતા નથી ?
ઔદ્યોગિક એકમો પોતાની હરકતો ક્યારે બંધ કરશે ?
શું ઔદ્યોગિક એકમોને AMCનો ભય નથી ?
ઔદ્યોગિક એકમોને મસમોટો દંડ કેમ ફટકારવામાં નથી આવતો ?
ઔદ્યોગિક એકમો પર દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે ?
શું AMCના સત્તાધીશોનું કામ માત્ર ખુરશી પર બેસવાનું છે ?
AMCના સત્તાધીશો ગ્રાઉન્ડ પર કેમ નથી આવતા ?
શું AMCના સત્તાધીશો માત્ર ACની હવા ખાવા ઓફિસે આવે છે ?
ટેક્સ વસૂલો છો, તો સાબરમતી શુદ્ધ કેમ નથી કરી શકતા ?