મધ્યપ્રદેશમાં આજે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણની ભાજપ સરકારનું વિસ્તરણ થયું હતું. મધ્યપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે રાજભવનમાં એક સમારોહમાં નવા પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આજે ર૮ પ્રધાનોએ શપથ લીધા છે, જેમાં ર૦ કેબિનેટ પ્રધાન અને આઠ રાજ્યકક્ષાના પ્રધાનનો સમાવેશ થયો છે.
આજે કેબિનેટ પ્રધાન તરીકે શપથ લેનારાઓમાં ગોપાલ ભાર્ગવ, વિજય શાહ, જગદીશ દેવડા, બિસાહુુલાલસિંહ, યશોધરારાજે સિંધિયા, ભૂપેન્દ્રસિંહ, સેેંધલસિંહ કંસાના અને વજેન્દ્રસિંહ પ્રતાપસિંહનો સમાવેશ થાય છે. શિવરાજસિંહની કેબિનેટના વિસ્તરણમાં વિશ્વાસ સારંગ, ઇમરતીદેવી અને પ્રભુરામ ચૌધરી પ્રધાન તરીકે શપથ લીધા.
મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વવાળી ભાજપની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું, જેમાં 28 મંત્રીઓને શપથ લેવડામાં આવી. આ નવા મંત્રીઓમાં 12 જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક પણ સામેલ છે. આજે શપથગ્રહણ કરનારા નવા કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોમાં સિંધિયા સમર્થકોનો દબદબો જોવા મળ્યો છે. સિંધિયા છાવણીના પ્રભુરામ ચૌધરીએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા.
જ્યોતિરાદિત્ય સિંધિયાના 12 સમર્થકે શપથ લીધા છે તેમાં 7 કેબિનેટ અને 5 રાજ્ય મંત્રી બનાવામાં આવ્યાં છે. આ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના તુલસીરામ સિલાવટ અને ગોવિંદ સિંહ રાજપૂત એપ્રિલમાં જ કેબિનેટ મંત્રી બનાવામાં આવ્યાં છે.
Madhya Pradesh: Imarti Devi, Prabhuram Choudhary (pic 2), and Pradhuman Singh Tomar (pic 3) take oath as Cabinet Ministers at Raj Bhawan in Bhopal. pic.twitter.com/EeSSdELZJQ
શપથગ્રહણ સમારોહ પૂર્વે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રાજયપાલ આનંદીબહેન પટેલને ર૦ કેબિનેટ અને ૮ રાજ્યકક્ષાના પ્રધાનોની યાદી સોંપી હતી. શપથગ્રહણ સમારોહ પૂર્વે ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કરીને કોંગ્રેસ સામે નિશાન તાકયું હતું. સિંધિયાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે અન્યાય વિરુદ્ધ છેડવામાં આવેલ સંઘર્ષ જ ધર્મ છે.