રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2,521 નવા કેસ નોંધાયા છે, તો 27 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે, જોકે, વડોદરામાં કોરોનાના કેસ હજીપણ ચિંતાજનક છે.
ગુજરાતમાં કોરોના સંકટ હળવું થયું
ગત 24 કલાકમાં કોરોનાના 2,521 નવા કેસ
ગુજરાતમાં આજે 7,965 દર્દીઓ થયાં સાજા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2,521 નવા કેસ નોંધાયા છે, તો 27 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,761 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 7,965 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,50,015 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 562 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 43,611 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 1,62,76,699 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,62,76,699 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,36,541 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
કેટલાક જિલ્લાઓમાં આજે એકપણ મોત નહીં
આપને જણાવી દઇએ કે, આજે રાજકોટ,પોરબંદર,પંચમહાલ,નવસારી,ભરૂચ,કચ્છ,બનાસકાંઠા,સાબરકાંઠા,ખેડા,વલસાડ,ગાંધીનગર,દાહોદ, નર્મદા,સુરેન્દ્રનગર, મોરબી,તાપી,છોટા ઉદેપુર આ જિલ્લાઓમાં આજે કોરોનાના એકપણ કેસ નોંધાયા નથી.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 336 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 12 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 228 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 84 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 308 કેસ, જ્યારે ગ્રામ્યમાં 172 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 122 કેસ અને ગ્રામ્યમાં 68 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત....