28 IAS officers including 6 from Gujarat cadre of Batch 1987 to 1988 empanelled for holding Secretary/ Secretary equivalent posts in the Government of India
નિમણૂક /
કેન્દ્રની 28 અધિકારીઓની સચિવ પદે નિમણૂક, ગુજરાત કેડરના આ 6 IAS અધિકારીઓની પસંદગી
કેન્દ્રએ 1987 અને 88ની બૅચના 28 IAS અધિકારીઓને સચિવ અને તેની સમકક્ષ પદ પર નિમણૂક કર્યા છે. ગુજરાતમાંથી મુકેશ પુરી, એસ અપર્ણા, એ.કે શર્મા, બી.બી સ્વેન, આર.પી ગુપ્તા અને અનિતા કરવાલ એમ 6 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
નોંધનીય છે કે ગુજરાત કેડર માંથી મુકેશ પુરી સિવાયના તમામ IAS અધિકારીઓ અત્યારે જ ડેપ્યુટેશન પર કેન્દ્ર સરકારમાં ફરજ બજાવે છે.
ગુજરાત કેડરના કયા અધિકારી ક્યાં ફરજ બજાવે છે?
અનિતા કરવાલ CBSEના ચેર પર્સન છે.
એ.કે. શર્મા હાલ PMO (વડાપ્રધાન કાર્યાલય)માં એડિશનલ સેક્રેટરી (અધિક સચિવ) તરીકે કાર્યરત છે.
એસ અપર્ણા હાલ અમેરિકામાં વૉશિંગટન DCમાં ભારતના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવે છે.
આર. પી. ગુપ્તા હાલ નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.
બી.બી સ્વેન વાણિજ્ય ખાતામાં એડિશનલ સેક્રેટરીના પદ ઉપર છે.
ફક્ત મુકેશ પુરી અત્યારે ગુજરાત સરકારમાં શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ (એડિશનલ ચીફ સેક્રેટરી) તરીકે ફરજ બજાવે છે.
નોંધનીય છે કે સચિવ તરીકે નિમણૂક થયા બાદ કેન્દ્ર સરકાર આ અધિકારીઓને ટૂંક સમયમાં સરકારના વિવિધ ખાતાઓ અને મંત્રાલયોમાં અલગ અલગ પદોએ પોસ્ટ કરશે. નોંધનીય છે કે આ પ્રકારની નિમણૂક અને બઢતી સરકારના એપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ કેબિનેટ દ્વારા કરવામાં આવે છે. આ અધિકારીઓ સરકારના વિશ્વાસુ અને કુશળ ગણવામાં આવે છે જે કારણે જ તેમને આ પદ ઉપર મુકવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કેડર ના IAS અધિકારીઓ મોદી સરકાર માં માનીતા ગણવામાં આવે છે એવી ચર્ચા પહેલા પણ થઇ ચુકી છે. છેલ્લા થોડા વર્ષોથી નિયમિત રીતે ગુજરાત સરકારમાંથી થોડા થોડા IAS અધિકારીઓને કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર લઇ જવામાં આવ્યા છે.
અત્યારે સચિવ અથવા તેના સમકક્ષ પદ માટે નિમણૂક થયેલા 28 અધિકારીઓમાંથી 6 અધિકારીઓ ગુજરાત કેડર છે જેથી ગુજરાત કેડરના અધિકારીઓ મોદી સરકારના વિશ્વાસુ ગણાય છે એ ચર્ચાએ ફરીથી જોર પકડ્યું છે.