અમરનાથની યાત્રાએ ગુજરાતમાંથી પણ અનેક શ્રધ્ધાળુઓ ગયા છે. જેમાં સુરત અને ભાવનગરમાંથી દર્શન માટે ગયેલા શ્રદ્ધાળુઓ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે.
સુરતથી અમરનાથ ગયેલા 15 લોકો સહી-સલામત
અમરનાથથી સુરત આવવા એક ગૃપ રવાના થયું
ભાવનગરના 260 પ્રવાસીઓ પણ સલામત સ્થળે
સુરતથી અમરનાથ ગયેલા 15 લોકો સહી-સલામત છે
અમરનાથમાં વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી ગઈ છે. અત્યાર સુધીમાં 16 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા છે. સેનાના જવાનોનો રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ગયા છે. અમરનાથની યાત્રાએ ગુજરાતમાંથી પણ અનેક શ્રધ્ધાળુઓ ગયા છે. જેમાં સુરતમાંથી ગયેલા લોકો અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે અડાજણ વિસ્તારમાંથી યાત્રાએ ગયેલુ ગ્રુપ અમરનાથી સુરત આવવા રવાના થયું છે.
Jammu and Kashmir | Visuals from Sonamarg's Baltal base camp as Amarnath Yatra remains temporarily suspended
વાદળ ફાટ્યુ હોવાના સમાચાર મળતાં યાત્રા અટકાવી દેવાઈ હતી
સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, સુરત જીલ્લામાંથી અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓનાં પરિવારજનોને તબાહીનાં સમાચાર મળતા ચિંતિત થઇ ગયા છે. સુત્રો પાસેથી મળતી માહિતી વાદળ ફાટવાની ઘટનાના સમાચાર મળતા આ તમામ લોકોને શ્રીનગર પાસે જ અટકાવી દેવામાં આવ્યા છે. ત્યાંથી આગળ કોઈને જવા દેવામાં આવ્યા નથી. આ તમામ લોકો હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.જેમાંથી સુરતના અડાજણ વિસ્તારમાં 15 યાત્રિકોનું એક ગૃપ સુરત પાછું આવવા માટે રવાન થઈ ગયું છે.
ગુજરાતમાંથી અમરનાથ યાત્રાએ અનેક લોકો ગયા છે. ત્યારે ભાવનગરથી અમરનાથની યાત્રાએ 9 બસ ભરી યાત્રિકો ગયા હતા.ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરથી અમરનાથની યાત્રાએ 6 બસના 260 જેટલા પ્રવાસીઓ પહેલગાવ પાસે સલામત સ્થળે હોવાના સમાચાર છે.તેઓ 11મી જુલાઈએ ભાવનગર પરત આવશે
ભાવનગરનું દંપતી ફસાતા પરિવારનાં શ્વાસ અદ્ધર થયા
ઉલ્લેખનીય છે કે, અમરનાથ યાત્રામાં જામનગરનું એક દંપતી પણ ફસાતાં તેમના પરિવારજનો ચિંતાતુર બની ગયાં હતાં. જો કે, રાહતની વાત એ છે કે, જામનગરના આ દંપતી હાલ અમરનાથની ગુફાથી 3 કિ.મી દુર એક કેમ્પમાં આશ્રય સ્થાન મેળવ્યું છે. તેઓના જણાવ્યા પ્રમાણે, બાલતાલ બેઝ કેમ્પથી બાબા અમરનાથના દર્શન કરવા માટે નીકળ્યા હતાં. જ્યારે તેઓ સાંજે 5 વાગ્યાની આસપાસ સંગમ ઘાટી નજીક પહોંચ્યા ત્યાં જ વાદળ ફાટયું હોવાના સમાચાર મળતાં યાત્રા ત્યાં જ રોકી દેવામાં આવી હતી. વાદળ ફાટ્યાનાં સમાચારથી પરિવારજએ સંપર્ક કરતા પહેલા તો સંર્પક ન થયો જેથી તમામ લોકોના જીવ અદ્ધર થઇ ગયા હતા. થોડા સમય બાદ ફરી સંર્પક કરતા તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળતા પરિવારોએ હાશકારો અનુભવ્યો હતો.