વિક્રમ સંવત્ 2075માં કુલ પાંચ ગ્રહણોનો યોગ છે જેમાંથી 2 ચંદ્ર ગ્રહણ અને 3 સૂર્ય ગ્રહણ છે. આ ચાર ગ્રહણોમાંથી એક જ ગ્રહણ ભારતમાં દેખાશે અને તે છે ચંદ્ર ગ્રહણ જે 27 જૂલાઇના દેખાશે.આગામી અઠવાડિયે થનારું ચંદ્ર ગ્રહણ ખગ્રાસ ચંદ્રગ્રહણ હશે.
ખગોળવિદો અનુસાર આ સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ હશે. સામાન્ય રીતે ગ્રહણ એક અથવા દોઢ કલાકના સમય સુધી ચાલે છે પરંતુ આગામી ચંદ્રગ્રહણ 4 કલાક સુધી રહેશે. કહેવાઈ રહ્યું છે કે આટલું લાંબું ચંદ્રગ્રહણ તેના બાદ સદીના અંત સુધી નહીં દેખાય. આ પહેલા 2000માં આવું ગ્રહણ થયું હતું. આ સંયોગ જ છે કે ગ્રહણના દિવસે એટલે કે 27મી જુલાઈએ ગુરુ પૂર્ણિમા પણ છે આથી તેનું મહત્વ વધી જાય છે. ચંદ્રગ્રહણની શરૂઆત ચંદ્રમાના ઉદય સાથે રાત્રે 11 વાગીને 54 મિનિટથી થશે. ગ્રહણના મધ્યકાળ રાતના 1 વાગીને 54 મિનિટ પર થશે અને ગ્રહણની સમાપ્તિ 3 વાગીને 49 મિનિટ પર થશે. આ પ્રકાર ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 55 મિનિટ હશે.
આ ચંદ્ર ગ્રહણ ભારત સિવયા ઑસ્ટ્રેલિયા એશિયા આફ્રિકા યૂરોપીયન દેશો તથા અંર્ટાકટિકામાં દેખાશે. ખગોળવિદો અનુસાર ગ્રહણવાળી રાતે મંગળ પર પૃથ્વીની નજીક હશે અને આ કારણે તે વધારે ચમકદાર દેખાશે.
જ્યોતિષ અનુસાર ગ્રહણ જે રાશિમાં થાય છે તે રાશિ પર પોતાના કુપ્રભાવ છોડે છે. આ ચંદ્ર ગ્રહણ ઉત્તર અષાઠ અને શ્રાવણ માસને મકર રાશિમાં થઇ રહ્યુ છે આ માટે મકર રાશિને સાવધાન રહેવાની જરૂર છે. ગ્રહણના કુપ્રભાવથી બચવા માટે જાપ કરવો જોઇએ. આ ગ્રહણ મિથુન મેષ સિંહ કન્યા ધન કુંભ રાશિના લોકો માટે કષ્ટકારી સાબિત થઇ શકે છે. પરંતુ તુલા વૃશ્ચિક અને મીન રાશિના જાતકો માટે આ ગ્રહણ શુભ હશે.
ચંદ્ર ગ્રહણમાં સૂર્ય પૃથ્ની અને ચંદ્રમા એક જ લાઈનમાં આવે છે. ગ્રહણ દરમિયાન ધરતીનો પડછાયો ચંદ્ર પર પડે છે અને ધીમે-ધીમે ચંદ્ર ઢંકાઈ જાય છે. આ સમય પૂર્ણ ગ્રહણનો હોય છે. આ બાદ ગ્રહણનો પડછાયો ઓછો થવાનું શરૂ થાય છે. ગ્રહણ સમાપ્ત થયાના સમયને મોક્ષ કાળ માનવામાં આવે છે.
કેમ ખાસ છે આ ચંદ્ર ગ્રહણ:
- વર્ષ 2099 સુધી ફરી નહી જોઇ શકાય આટલું લાંબુ ચંદ્રગ્રહણ.
- લગભગ 4 કલાક સુધી ચંદ્રગ્રહણ
- રાતે 11 વાગીને 55 મિનિટ પર થશે શરૂ અને 3 વાગીને 55 મિનિટ સુધી ગ્રહણ ચાલશે.
ગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું:
-મંદિરોના દ્વાર બંધ થઈ જાય છે આથી ઘરમાં જ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ.
- ગ્રહણ બાદ સ્નાન કરીને યથા શક્તિ દાન અવશ્ય આપવું જોઈએ.
- દેવમૂર્તિનો સ્પર્શ મળ-મૂત્રનો ત્યાગ પણ ન કરવો જોઈએ.
- ગ્રહણના સૂતક સમયમાં ભોજન ન કરવું જોઈએ.
ગ્રહણથી 9 કલાક પહેલા સૂતક બેસી જાય છે. સૂતક કાળમાં ગર્ભવતી મહિલાઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેમને ગ્રહણ દરમિયાન ઘરની અંદર જ રહેવું જોઈએ. જેથી તેમના પર ગ્રહણનો પડછાયો ન પડે.