26મી જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન કેટલાક તોફાની તત્વોએ હિંસા ભડકાવી હતી. જેને પગલે આંદોલન નબળું પડી ગયું છે. ખેડૂત આંદોલન ન ફક્ત નબળું પડ્યું છે બલ્કે તેમાં તિરાડ પણ પડી છે. રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના ખેડૂત નેતા વીએમ સિંહે કહ્યું છે કે તેઓ આંદોલન અહીં જ પાછું ખેંચી રહ્યા છે.
ખેડૂત નેતા વીએમ સિંહે આંદોલનમાંથી નામ પાછું ખેંચી લીધું
ખેડૂત આંદોલનમાં તિરાડ પડી
વીએમ સિંહે રાકેશ ટિકૈત તથા અન્ય ખેડૂત નેતાઓ પર અનેક આરોપો લગાવ્યા
ખેડૂત આંદોલનમાં તિરાડ પડી
ખેડૂત આંદોલનમાં વિખવાદ સર્જાયો છે. ખેડૂત નેતા વીએમ સિંહે કહ્યું કે, અમારું સંગઠન આ હિંસામાં સામેલ નથી. એટલું જ નહીં તેમણે ખેડૂતો અને રાકેશ ટિકૈત પર અનેક આરોપો પણ લગાવ્યા છે. જ્યારે બીજી તરફ કૃષિ કાયદાના વિરોધમાં અભય સિંહ ચૌટાલાએ હરિયાણા વિધાનસભામાં રાજીનામું ધરી દીધું છે.
सरकार की भी गलती है जब कोई 11 बजे की जगह 8 बजे निकल रहा है तो सरकार क्या कर रही थी। जब सरकार को पता था कि लाल किले पर झंडा फहराने वाले को कुछ संगठनों ने करोड़ों रुपये देने की बात की थी: किसान मजदूर संगठन के राष्ट्रीय अध्यक्ष वीएम सिंह, गाजीपुर बॉर्डर से pic.twitter.com/3ZxE1vtUeT
ખેડૂત નેતા વીએમ સિંહે આંદોલનમાંથી નામ પાછું ખેંચી લીધું
ખેડૂત નેતા વીએમ સિંહે આંદોલનમાંથી નામ પાછું ખેંચી લીધું છે આ સાથે રાકેશ ટિકૈત તથા અન્ય ખેડૂત નેતાઓ પર અનેક આરોપો લગાવ્યા છે. વીએમ સિંહે કહ્યું કે જે લોકોએ ભડકાવ્યા તેમના પર સખત કાર્યવાહી થાય. વીએમ સિંહે કહ્યું કે સરકારની પણ ભૂલ છે જ્યારે કોઈ 11 વાગ્યાની જગ્યાએ 8 વાગે નિકળી રહ્યું હતું તો સરકાર શું કરી રહી હતી. જ્યારે સરકારને ખબર હતી કે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવા માટે કેટલાક સંગઠનો કરોડો રુપિયા આપવાની વાત કરી હતી તો સરકાર શું કરી રહી હતી. વીએમ સિંહે વધુંમાં બોલ્યા કે હિન્દુસ્તાનના ઝંડાની ગરિમા, મર્યાદા બધાની છે. તે મર્યાદાને તોડવામાં આવી છે તો તે ખોટું છે અને જેમણે ભંગ કરી છે તે ખોટા છે. આઈટીઓમાં એક સાથી શહીદ પણ થઈ ગયો. જે લઈને ગયો હતો તેણે ઉશ્કેર્યો હતો તેની વિરુદ્ધ પૂરી કાર્યવાહી થવી જોઈએ. તેમને રાકેશ ટિકૈત પર આરોપ લગાવતા કહ્યું કે ટિકૈત અલગ રસ્તે જવા માંગતા હતા.
હિંસાને લઈને 22 એફઆઈઆર દાખલ કરવામાં આવી
બુધવારે દિલ્હી પોલીસે જણાવ્યું કે ગત રેલી દરમિયાન હિંસાને લઈને 22 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ત્યારે ઈન્દ્રપ્રસ્થ પોલીસે પણ અજ્ઞાત પ્રદર્શનકારીઓની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ પ્રદર્શન કારીઓમાં ટ્રેક્ટર ચઢવાના કારણે મરનારા ખેડૂતનું નામ પણ સામેલ છે. આ જાણકારી પોલીસ તરફથી મળી છે. આ ઘટનાઓ બાદ હવે સરકાર અને પ્રશાસન પણ એક્શન મોડમાં નજરે પડી રહી છે.
ખેડૂત નેતાઓના ફરિયાદમાં નામ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવની વિરુદ્ધ પણ દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના અનુસાર દિલ્હી પોલીસની એફઆઈઆરમાં ખેડૂત ટ્રેક્ટર રેલી અંગેની એનઓસીનું ઉલંઘન માટે ખેડૂત નેતા દર્શન પાલ, રાજિંદર સિંહ, બલવીર સિંહ રાજેવાલ, બુટા સિંહ બુર્જિલ અને જોગિંદર સિંહ ઉગ્રાહાના નામનો ઉલ્લેખ છે. FIRમાં ભારતીય ખેડૂત યુનિયન પ્રવક્તા રાકેશ ટિકૈતનું નામ પણ છે. જો કે આ FIR કઈ કલમો અંતર્ગત દાખલ કરવામાં આવી છે તે અંગે જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી માહિતી મળી શકી નથી.
93 લોકોની પણ ધરપકડ કરવામાં આવી
બીજી તરફ દિલ્હી પોલીસે શહેરમાં ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસક ઘટનાના સંદર્ભમાં 200 લોકોની ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસે કહ્યું કે જલ્દી બાકીનાની પણ ધરપકડ કરાશે. તેમજ દિલ્હી વેસ્ટર્ન ઝોનમાં 93 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.