નેપાળમાં ફરી એક વાર વાવાઝોડા સાથે તોફાન ત્રાટક્યુ છે. નેપાળની રાજધાની કાઠમાંડુમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો. જે બાદ જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. કાઠમાંડુના અનેક વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડતા પાણી ભરાઈ ગયું. તો અનેક વિસ્તારોમાં ભારે વાવાઝોડા અને વરસાદ બાદ વીજળી પણ ગૂલ થઈ છે.
નેપાળમાં ફરી એક વાર વાવાઝોડા સાથે તોફાન ત્રાટક્યુ છે. નેપાળની રાજધાની કાઠમાંડુમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો. જે બાદ જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. કાઠમાંડુના અનેક વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડતા પાણી ભરાઈ ગયું. તો અનેક વિસ્તારોમાં ભારે વાવાઝોડા અને વરસાદ બાદ વીજળી પણ ગૂલ થઈ છે.
Nepal Army spokesperson, Yam Prasad Dhakal: We have kept 2 MI 17 helicopters in standby mode for deployment in case of emergency. A sky truck is ready in Simara. Over 100 army personnel have been deployed in the affected areas, rescue operations underway. https://t.co/Yslt4KWJ9J
તો નેપાળના પરસામાં ગત 31મી માર્ચના રોજ જ ભારે વાવાઝોડા સાથે વરસાદ પડતા 35 લોકોનાં મોત થયા હતા. તો 600થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 1 હજાર 400 જેટલા મકાનોને પણ ભારે ક્ષતિ પહોંચી છે.
ત્યારે ફરી એક વાર વાવાઝોડા સાથે વરસાદ પડતા કાઠમાંડુમાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. કુદરતી કહેર બાદ નેપાળ મંત્રી મંડળની એક બેઠક યોજાઈ હતી. જેમાં નેપાળ સરકારે પીપલ્સ હાઉસિંગ મોડલના આધારે જે મકાનોને નુકસાન થયુ છે તેમના પુનઃનિર્માણ માટે નિર્ણય પણ લીધો છે. જોકે, હજુ પણ નેપાળમાં રાહત અને બચાવ કાર્ય યથાવત છે.
ઉલ્લેખનીય છે કે, નેપાળી સેનાના પ્રવક્તાએ આ મામલે વાત કરતા જણાવ્યું હતું કે, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલુ છે અને અમે કોઇપણ પ્રકારની આપત્તિને પહોંચી વળવા માટે 2 MI 17 હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખ્યા છે. આ સાથે જ તોફાનથી વધારે પ્રમાણમાં પ્રભાવિત વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.