પંજાબમાં ઓક્સિજન સપોર્ટ પર ભરતી થનાર દર્દીઓની સંખ્યામાં 24 કલાકમાં 264 ટકાનો મોટો વધારો આવ્યો છે.
ઘાતક કોરોના સંક્રમણ વચ્ચે પંજાબથી આવી ચોંકાવનારી ખબર
પંજાબમાં ઓક્સિજન સપોર્ટ પર ભરતી થનાર દર્દીઓની સંખ્યા વધીને 264 થઈ
શુક્રવારે રાજ્યમાં કુલ 62 દર્દી ઓક્સિજન સપોર્ટ પર હતા
શનિવારે આ આંકડો વધીને 264 થયો
દેશમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિથી આગળ વધી રહ્યું છે. ઘણા રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક બની રહી છે ત્યારે પંજાબમાંથી એક ચોંકાવનારી ખબર સામે છે. શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા આંકડામાં એવું જણાવાય છે કે પંજાબમાં ઓક્સિજન સપોર્ટ પર ભરતી થનાર દર્દીઓની સંખ્યામાં 24 કલાકમાં 264 ટકાનો વધારો આવ્યો છે. શુક્રવારે રાજ્યમાં કુલ 62 દર્દી ઓક્સિજન સપોર્ટ પર હતા તો શનિવારે આ આંકડો 264 થયો છે. આથી વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબમાં કોરોના વાયરસની સ્થિતિ વણસી રહી છે.
પંજાબમાં 1 જાન્યુઆરીએ ઓક્સિજન સપોર્ટ પર 23 દર્દી ભરતી હતા
પંજાબમાં 1 જાન્યુઆરીએ ઓક્સિજન સપોર્ટ પર 23 દર્દી ભરતી હતા. 1 જાન્યુઆરીએ રાજ્યમાં 332 કોરોના કેસ આવ્યાં હતા. શુક્રવારે રાજ્યમાં 2901 કોરોના કેસ આવ્યાં હતા. શનિવારે આ સંખ્યા વધીને 3643 થઈ ગઈ છે. શુક્રવારે લેવલ 3 સપોર્ટ પર 20 દર્દી હતા. શનિવારે તેની સંખ્યા વધીને 55 થઈ. આ 175 ટકાનો ઉછાળો આવ્યો છે. તો આ અવધિમાં વેન્ટીલેન્ટર પર કાલે 11 દર્દી ભરરતી હતી જે શુક્રવારે 6 હતા. 1 જાન્યુઆરીએ એક પણ દર્દી વેન્ટીલેટર પર નહોતો જોકે 18 દર્દી લેવલ-2 સપોર્ટ પર હતા.
કોરોના કેસમાં 175 ટકાનો વધારો
પંજાબમાં શુક્રવારે કોરોનાના 2901 કેસ આવ્યાં હતા પરંતુ શનિવારે આ આંકડો વધીને 3643 થયો હતો. 1 જાન્યુઆરીએ રિપોર્ટ કોવિડ કેસોની સંખ્યા ફક્ત 332 હતી. આ દરમિયાન 3 સપોર્ટવાળા દર્દીઓની સંખ્યા શુક્રવારે 20થી વધીને શનિવારે 55 થઈ હતી.