બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / સુરતમાં તંત્ર 10 હજાર લોકોનો આશરો છીનવશે! પાણી અને વીજ કનેક્શન કાપ્યા, જાણો કેમ

પીડા / સુરતમાં તંત્ર 10 હજાર લોકોનો આશરો છીનવશે! પાણી અને વીજ કનેક્શન કાપ્યા, જાણો કેમ

Last Updated: 07:54 PM, 17 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં સચિન વિસ્તારમાં વર્ષે પહેલા બનેલી શ્રમ વસાહત જર્જરિત થઈ જતા તેને ખાલી કરાવવાને લઈ પાણી તેમજ વીજ કનેક્શન કાપી નાંખવામાં આવતા વસાહતનાં રહીશોએ પોતાની વેદના ઠાલવી હતી.

હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. તેમજ રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં જર્જરિત ઈમારત ધરાશાયી ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા તકેદારીનાં ભાગરૂપે જર્જરિત ઈમારતોને ઈતારી લેવા માટે ચોમાસા પહેલા જ મકાન માલિકોને નોટીસ આપી દેવામાં આવે છે. ત્યારે સુરતમાં સચિન સ્લમ બોર્ડમાં રહેતા 10 હજારથી વધારે પરિવારજનોનાં માથેથી છત છીનવાઈ જતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. વહીવટી તંત્ર આવતીકાલે ફરીથી મકાન ખાલી કરાવવા માટે જશે.

વીજ અને પાણી કનેક્શન કાપી નાંખ્યા

સુરતનાં સચિન વિસ્તારમાં 33 વર્ષ પહેલા બનેલી શ્રમ વસાહત જર્જરિત થતા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલ મહાનગર પાલિકા દ્વારા રહીશો માટે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ વીજ કનેક્શન તેમજ પાણી કનેક્શન કાપી નાંખતા રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે શ્રમ વસાહતમાં 2600 મકાન છે. જેમાં 10 હજાર જેટલા પરિવારો રહે છે. ત્યારે આજે પાણી કનેક્શન તેમજ વીજ કનેક્શન કાપી નાંખવામાં આવતા રહીશોએ અંધારામાં જ રહ્યા હતા. ત્યારે રહીશોએ કોર્પોરેશનની જોરહુમકી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

કોર્પોરેશનની ટીમ તેમજ રહીશો વચ્ચે ઘર્ષણ થયું

શ્રમ વસાહતમાં છેલ્લા 30 વર્ષથી અનેક પરિવારો પોતાનાં પરિવાર સાથે વસવાટ કરી રહ્યા હતા. ત્યારે પાલિકામાં બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ વહીવટી તંત્રની ઉંઘ ઉડી હતી. જે બાદ વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. અને જર્જરિત શ્રમ વસાહતનાં મકાનો ખાલી કરાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે મકાન ખાલી કરાવવા ગયેલ કોર્પોરેશનની ટીમ તેમજ રહીશો વચ્ચે ઘર્ષણ પણ થવા પામ્યું હતું.

વધુ વાંચોઃ દહેગામના જૂના પહાડીયા ગામ વેચવાના કેસમાં એક્શન, 3 આરોપીઓ LCBના જાપ્તામાં

શ્રમ વસાહતનાં પીડીત રહીશોએ આપવીતી કહી

આ બાબતે શ્રમ વસાહતનાં પીડીત રહીશોએ જણાવ્યું હતું કે, અમે સચિન હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ. અને અમારા નાના બાળકો છે. ત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે અમે હાલ ક્યાં જઈએ. સરકાર દ્વારા થોડું વિચારવું જોઈએ તેમજ અમને બે-ત્રણ મહિનાનો સમય આપવો જોઈએ. તેમજ અમને બીજી વ્યવસ્થા કરવાનો કોઈ પણ સમય આપ્યો નથી. તેમજ અચાનક આવીને પાણી કનેક્શન કાપી નાંખ્યું, વીજળી કાપી નાંખી ત્યારે અમે વીજળી વગર કેવી રીતે રહીશું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sachin Area Labor Colony Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ