રિઝર્વ બેંકે કહ્યું કે કોરોનાથી અસરગ્રસ્ત 26 સેક્ટરમાં લોન પુનર્ગઠન યોજનાનો લાભા આપવામાં આવશે. આરબીઆઈએ સોમવારે યોજના પર કેવી કામતની તરફેણને મંજૂરી આપતા કહ્યું કે 5 માપદંડો પર લોન પુનર્ગઠન યોજના લાગુ પડશે અને મહામારીથી અસરગ્રસ્ત ઉદ્યોગ ક્ષેત્રોની નાણાકિય સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે.
પૂર્વ બેંકર કેવી કામતની આગેવાનીમાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતુ
સમિતિએ 4 સપ્ટેમ્બરે પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો
યોજનામાં સમાવિષ્ટ થનારા ઉદ્યોગ ક્ષેત્રો માટે 5 માપ દંડ બનાવવામાં આવ્યા
આરબીઆઈએ 7 ઓગસ્ટે લોન પુનર્ગઠન યોજના પર સલાહ માટે પૂર્વ બેંકર કેવી કામતની આગેવાનીમાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતુ. સમિતિએ 4 સપ્ટેમ્બરે પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. જેના આધાર પર યોજનામાં સમાવિષ્ટ થનારા ઉદ્યોગ ક્ષેત્રો માટે 5 માપ દંડ બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય બેંકે રિપોર્ટની મોટા ભાગની સલાહને મંજૂરી આપી દીધી છે અને 26 સેક્ટરમાં લોન પુનર્ગઠન યોજના અમલમાં મુકવાની પરવાનગી આપી દીધી છે.
જોકે લાભ તેમને જ મળશે તેમનું અકાઉન્ટ મેનેજમેન્ટ કોરોના પહેલા સારુ હતુ. જેમાં ઓર્ગેનાઈઝીંગ અને નાણા પ્રદર્શન બન્નેનો સમાવેશ થાય છે. સાથે જોવામાં આવશે કે તેમની ચૂકવણી અને રોકડની સમસ્યા કોરોના બાદ આવી છે કે કેમ. લોનદાતા યોજના લાગુ કરતા સમયે એ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે હાલના પડકારોથી કયા કયા સેક્ટર વધારે અસરગ્રસ્ત થયા હતા.
આ માપદંડોને આધાર બનાવાશે
કુલ દેનદારી / સમાયોજિત મૂળ નેટવર્થ
કુલ દેવુ/ વ્યાજ, કર, ઘસારો અને ઈબીઆઈટીડીએ પહેલાની આવક
હાલની સંપત્તિ / હાલની દેનદારી
ડેટ સર્વિસ કવરેજ અનુપાત
સરેરાશ ડેટ સર્વિસ કવરેજ અનુપાત
આ ફિલ્ડને મળશે લાભ
આરબીઆઈએ જે 26 સેક્ટરનો યોજનાઓમાં સમાવિષ્ટ કરવાની પરવાનગી આપી છે તેમાં ઓટોમોબાઈલ, ઉર્જા, ઓટો ઉપકરણ, વિમાન, પર્યટન, સિમેન્ટ, રસાયણ, રત્ન તથા આભૂષણ, માલ ઢુલાઈ, ખનન, વિનિર્માણ, રિયલ એસ્ટેટ, એરપોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. કોરોનાની સૌથી વધારે અસર પ્રવાસન અને વિમાન ક્ષેત્રને થઈ છે.
ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ કહ્યું છે કે લોનદાતા પુનર્ગઠન હેઠળ ચુકવણીનો સમય 2 વર્ષ સુધી વધી શકે છે. જેમાં મોરેટોરિયમનો સમય સમાવિષ્ટ નથી કરવામાં આવ્યો. જો કોઈ લોનધારક લોન પુનગર્ઠન સુવિધા લીધા બાદ દેવાની ચૂકવણી નથી કરતો તો 30 દિવસની સમીક્ષા બાદ તેને ડિફોલ્ડર ગણવામાં આવશે.