રક્ષા મંત્રાલય દ્વારા 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થવા રાજ્યના ટેબ્લોની પસંદગી કરી લેવામાં આવી છે. જેમાં મંત્રાલયો, વિભાગો, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના ટેબ્લોનો સમાવેશ કરાયો છે. આમ કેન્દ્ર દ્વારા પસંદ કરાયેલા ટેબ્લો રાજપથ પર જોવા મળશે. આ વર્ષે દેશવાસીઓને પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર સહિત કેટલાંક રાજ્યોના ટેબ્લો જોવા મળશે નહીં.
રાજ્યના ટેબ્લોની પસંદગી કરી લેવામાં આવી
કેન્દ્ર દ્વારા પસંદ કરાયેલા ટેબ્લો રાજપથ પર જોવા મળશે
પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર સહિત કેટલાંક રાજ્યોના ટેબ્લો જોવા મળશે નહીં
કેન્દ્ર સરકાર દ્વારા કેટલાંક રાજ્યોના ટેબ્લોના પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર ત્યારબાદ કેરળ રાજ્યના ટેબ્લોનો અસ્વીકાર કરવામાં આવ્યો છે.
રાજપથ પર આ ટેબ્લોને જોઇ શકશે દેશવાસીઓ
ઉદ્યોગ અને આંતરિક વેપારને પ્રોત્સાહન આપનાર વિભાગ
પે જલ અને સ્વચ્છતા વિભાગ
નાણાકીય સેવાઓનો વિભાગ
એનડીઆરએફ, ગૃહ મંત્રાલય
સીપીડબ્લ્યૂડી, આવાસ અને શહેરી મામલાનું મંત્રાલય
શિપિંગ મંત્રાલય
આંધ્ર પ્રદેશ
આસામ
છત્તીસગઢ
ગોવા
ગુજરાત
હિમાચલ પ્રદેશ
જમ્મૂ અને કાશ્મીર
કર્ણાટક
મધ્યપ્રદેશ
મેઘાલય
ઓડિશા
પંજાબ
રાજસ્થાન
તમિલનાડૂ
તેલંગાણા
ઉત્તર પ્રદેશ
નિષ્ણાંત સમિતિ પોતાની ભલામણ રક્ષા મંત્રાલયને સોંપે છે
પ્રજાસત્તાક દિવસની પરેડ માટે રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગ પાસેથી પ્રસ્તાવ આમંત્રણ મોકલવામાં આવે છે. ટેબ્લોની પસંદગી એક વિશેષ સમિતિ દ્વારા કરવામાં આવે છે, જેમાં કલા, સંસ્કૃતિ, ચિત્રકલા, મૂર્તિકલા, સંગીત, વાસ્તુકલા અને નૃત્યકલા સાથે સંબંધિત લોકો સામેલ હોય છે. આ સમિતિ પ્રસ્તાવો પર વિચાર કરી પોતાની ભલામણને રક્ષા મંત્રાલયને સોંપતી હોય છે.
Defence Ministry's list of shortlisted participants(tableaux) for Republic Day Parade 2020. pic.twitter.com/adKiUabpxQ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને કેન્દ્ર સરકાર વચ્ચે નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને NRC ને લઇને ઘર્ષણ જોવા મળી રહ્યું છે. જો કે એવી અટકળો લગાવામાં આવી રહી છે કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં બંગાળના ટેબ્લાને મંજૂરી ન મળવાથી બંને સરકાર વચ્ચે ટકરાવ વધી શકે છે.